Pakistan News: વિંગ કમાન્ડર અભિનંદનને પકડવાનો દાવો કરનાર પાકિસ્તાની મેજર માર્યો ગયો, જાણો ISPRએ શું કહ્યું?
Pakistani Major Moiz Abbas Shah: પાકિસ્તાની સેનાનો મેજર મોઈઝ અબ્બાસ શાહ TTP લડવૈયાઓના હુમલામાં માર્યો ગયો છે. આ હુમલામાં પાકિસ્તાની સેનાનો લાન્સ નાયક જિબ્રાન પણ માર્યો ગયો. મેજર મોઈઝ અબ્બાસે 2019માં પાકિસ્તાનમાં ભારતના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની 'ધરપકડ' કરી હતી. આ ધરપકડ ત્યારે કરવામાં આવી હતી જ્યારે અભિનંદનનું વિમાન પાકિસ્તાનમાં ક્રેશ થયું હતું અને તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. મેજર મુઇઝે ધરપકડનો દાવો કરીને ખૂબ લાઈમલાઇટ મેળવી હતી, પરંતુ ભારતે પાકિસ્તાન સામે ઘૂંટણિયે પડવું પડ્યું હતું અને વિંગ કમાન્ડર અભિનંદનને સુરક્ષિત રીતે પાછા મોકલ્યા હતા.
મેજર મોઈઝ અબ્બાસ શાહ પાકિસ્તાનના ચકવાલનો રહેવાસી હતો, અને પાકિસ્તાની સેનાના સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (SSG)નો અધિકારી હતો. તેના મોત બાદ પાકિસ્તાની સેનાએ દાવો કર્યો છે કે તે એક ઓપરેશન દરમિયાન માર્યો ગયો. આ ઓપરેશનમાં 11 TTP લડવૈયાઓ પણ માર્યા ગયા.
ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR)ના નિવેદન મુજબ, '24 જૂન 2025ના રોજ સુરક્ષા બળોએ દક્ષિણી વજીરિસ્તાન જિલ્લામાં સરોઘા ક્ષેત્રમાં એક ઓપરેશન કર્યું હતું. આ હુમલામાં મેજર મોઈજ અબ્બાસ શાહ અને લન્સ નાયક જિબ્રાન માર્યા ગયા છે. પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ISPRએ કહ્યું કે, મેજર મોઈઝને પાકિસ્તાની આતંકવાદી વિરુદ્ધ કરવામાં આવેલા અભિયાનોમાં તેના સાહસિક કર્યો માટે ઓળખવામાં આવે છે. જો કે, ISPRએ બાલાકોટ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કર્યો નહોતો.
વર્ષ 2019માં બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ હતો ત્યારે મેજર મોઈઝ અબ્બાસ શાહનું નામ લાઈમલાઇટમાં આવ્યું હતું. આ દરમિયાન ભારતના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન મિગ-21 બાઇસન જેટ ઉડાવી રહ્યા હતા. કોઈ ટેક્નિકલ ખામીને કારણે અભિનંદનનું વિમાન પાકિસ્તાનની સરહદમાં ક્રેશ થઈ ગયું હતું. ત્યારબાદ અભિનંદનને મેજર મોઈઝ અબ્બાસ શાહે ઇજાગ્રસ્ત અવસ્થામાં ધરપકડ કરી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp