Gujarat: ઇસુદાન ગઢવીનો દાવો-AAP 2027માં સરકાર બનાવીશું, કોંગ્રેસનાં નેતા મુમતાઝ પટેલ બોલ્યા- ‘અમારી ટક્કર..’
Visavadar by election: ગુજરાતની 2 બેઠકો પર યોજાયેલી વિધાનસભા પેટાચૂંટણીના પરિણામો સોમવારે જાહેર થયા. આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ વિસાવદર બેઠક પર જીત મેળવી. જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા રાજેન્દ્ર ચાવડાએ કડી બેઠક પર જીત મેળવી. AAPના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી અને કોંગ્રેસના નેતા મુમતાઝ પટેલે ચૂંટણી પરિણામો પર પ્રતિક્રિયા સામે આવી છે.
મુમતાઝ પટેલે કહ્યું કે, "સૌથી પહેલા હું ગોપાલ ઇટાલિયાજીને અભિનંદન આપવા માંગુ છું. ભાજપ અને આમ આદમી પાર્ટીએ પેટાચૂંટણીમાં પોતાની બેઠકો જાળવી રાખી છે. જો તમે દેશભરના વલણ પર નજર નાખશો તો, કોંગ્રેસે કેરળમાં જીત મેળવી છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસે જીત મેળવી છે.’
ગુજરાત AAPના અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં સરકાર બનાવવાનો દાવો કર્યો. તેના પર પ્રતિક્રિયા આપતા મુમતાઝ પટેલે કહ્યું કે, ‘આ બેઠકતો આમ આદમી પાર્ટીએ 2022માં પણ જીતી હતી. કોંગ્રેસ અને ભાજપ સામે આમ આદમી પાર્ટી લડી હતી. આમ આદમી પાર્ટી જે પણ કરી રહી છે, જાહેર છે કે દરેક પાર્ટી સખત મહેનત કરશે. કોંગ્રેસ સંગઠન અંગે તેમણે કહ્યું કે, ‘સંગઠનનું પુનર્નિર્માણ થઈ રહ્યું છે. તેમાં સમય લાગે છે. નવા ચહેરાઓને આગળ લાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ ફૂલ સ્પીડમાં રિવાઈવલ મોડમાં છે. આગળ લઈને આશા રાખીએ છે કે પરિણામો અલગ આવશે.’
આ સાથે જ તેમણે કહ્યું કે, ‘સંગઠનમાં પરિવર્તનો થઈ રહ્યા છે. તાજેતરમાં જિલ્લા પ્રમુખોની નવી યાદી જાહેર કરવામાં આવી છે. હવે વાસ્તવિક પ્રક્રિયા શરૂ થશે. રાહુલ ગાંધીએ કોંગ્રેસમાં જે પણ ખામીઓ છે તે વ્યક્ત કરી છે. તેના પર કામ કરવામાં આવી રહ્યું છે.’ તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહી છે. કોંગ્રેસ પાર્ટીની સીધી ટક્કર ભાજપ સાથે છે. અમે 2027 અને 2029માં ભાજપ સામે લડીશું.’
ANI સાથે વાત કરતા ઇસુદાન ગઢવીએ કહ્યું કે, ‘આ વિસાવદરના લોકો, ખેડૂતો, મજૂરો અને બેરોજગાર યુવાનોની જીત છે. આ ગુજરાતના લોકોની જીત છે. તમે જોયું જ હશે કે ભાજપ અહીં લોકપ્રિય નથી. તે પૈસા અને સત્તાથી હોર્સ ટ્રેડિંગ કરે છે, પરંતુ તેણે AAPના એક નેતાને તોડી દીધા, અને પાર્ટીના નેતાઓએ બેઠક પાછી મેળવી લીધી. હવે એ નક્કી છે કે જો કોઈ ગુજરાતમાં ભાજપને હરાવી શકે છે, તો તે કોંગ્રેસ નહીં. હું, ગોપાલ ઇટાલિયા અને દરેક પાર્ટી કાર્યકર્તાને અભિનંદન આપું છું. હું સમગ્ર ગુજરાતમાં આ સંદેશ આપવા માગુ છું કે જો કોઈ ભાજપને હરાવી શકે છે, તો તે AAP છે. 2027માં, AAP સરકાર બનાવવા જઈ રહી છે. આજે પાયો નંખાયો છે.’
વિસાવદર પેટાચૂંટણીના પરિણામો
AAPના ગોપાલ ઇટાલિયા:75942 મત, 51.04 ટકા વોટ શેર
ભાજપના કિરીટ પટેલ – 58388 મત, 39.24 ટકા વોટ શેર
કોંગ્રેસના નીતિન રાણપરિયા- 5501 મત, 3.7 ટકા વોટ શેર
કડી પેટાચૂંટણીના પરિણામો
ભાજપના રાજેન્દ્ર ચાવડા – 99742મત, 59.39 ટકા વોટ શેર
કોંગ્રેસના રમેશ ચાવડા- 60290 મત, 39.24 ટકા વોટ શેર
AAPના જગદીશ ગણપતભાઈ- 3090 મત, 1.84 ટકા વોટ શેર
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp