પાકિસ્તાને આ ઈસ્લામિક દેશ પાસે ભારતીય સાંસદોના ડેલિગેશનના કાર્યક્રમ રદ કરાવવાનો કર્યો પ્રયાસ, પ

પાકિસ્તાને આ ઈસ્લામિક દેશ પાસે ભારતીય સાંસદોના ડેલિગેશનના કાર્યક્રમ રદ કરાવવાનો કર્યો પ્રયાસ, પરંતુ મળ્યો 440 વોલ્ટનો ઝટકો

06/04/2025 World

SidhiKhabar

SidhiKhabar

પાકિસ્તાને આ ઈસ્લામિક દેશ પાસે ભારતીય સાંસદોના ડેલિગેશનના કાર્યક્રમ રદ કરાવવાનો કર્યો પ્રયાસ, પ

પાકિસ્તાને મલેશિયામાં ભારતીય સાંસદોના પ્રતિનિધિમંડળના કાર્યક્રમો રદ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને કુઆલાલંપુર સરકાર તરફથી જોરદાર ઝટકો લાગ્યો. ઇસ્લામિક એકતાનો સંદર્ભ આપતા, પાકિસ્તાને મલેશિયન અધિકારીઓને ભારતીય પ્રતિનિધિમંડળના કાર્યક્રમો રોકવાની માગ કરી હતી, પરંતુ મલેશિયાએ પાકિસ્તાની હસ્તક્ષેપને સ્પષ્ટપણે નકારી કાઢ્યો.

સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાની દૂતાવાસે મલેશિયન અધિકારીઓને ભારતીય પ્રતિનિધિમંડળના કાર્યક્રમો રદ કરવા વિનંતી કરી હતી, પરંતુ તે અસરકારક ન રહ્યું અને પ્રતિનિધિમંડળને સંપૂર્ણ સમર્થન મળ્યું. પ્રતિનિધિમંડળના તમામ કાર્યક્રમો નક્કી યોજના મુજબ થયા. આ પાકિસ્તાન માટે એક મોટો કૂટનીતિક ઝટકો માનવામાં આવી રહ્યો છે.


સંજય ઝાના નેતૃત્વમાં 5 દેશોની મુલાકાત

સંજય ઝાના નેતૃત્વમાં 5 દેશોની મુલાકાત

આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ JDUના સાંસદ સંજય ઝાએ કર્યું હતું. તેમાં ભાજપના અપરાજિતા સારંગી, બ્રિજલાલ, પ્રધાન બરુઆ, હેમાંગ જોશી, TMCના અભિષેક બેનર્જી, CPMના જોન બ્રિટાસ, કોંગ્રેસના સલમાન ખુર્શીદ અને ભૂતપૂર્વ રાજદ્વારી મોહન કુમારનો સમાવેશ થાય છે.

પ્રતિનિધિમંડળે જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર, ઇન્ડોનેશિયા અને મલેશિયાની મુલાકાત લીધી હતી. તેનો ઉદ્દેશ્ય ભારતમાં તાજેતરના આતંકવાદી હુમલાઓમાં પાકિસ્તાનની ભૂમિકાને ઉજાગર કરવાનો અને પહેલગામ હુમલા બાદ ભારતના પ્રતિકાર 'ઓપરેશન સિંદૂર'ને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો હતો.

સંજય ઝાએ IANSને જણાવ્યું હતું કે, ‘આ મુલાકાત ઘણી રીતે સફળ રહી. વિશ્વભરના દેશોએ 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી હતી અને 26 મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ભારતે સંયમિત અને સચોટ હુમલો કર્યો હતો, જેમાં માત્ર આતંકવાદી ઠેકાણાઓ અને છાવણીઓને નિશાન બનાવવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે, ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ છે અને કેબિનેટની બેઠક પહેલગામમાં જ યોજાઈ રહી છે. ભારતે FATF પાસેથી પાકિસ્તાન સામે કાર્યવાહીની માગ કરી છે.’


દરેક દેશ ભારત સાથે ઉભો છે- સાંસદોનું નિવેદન

દરેક દેશ ભારત સાથે ઉભો છે- સાંસદોનું નિવેદન

CPM સાંસદ જોન બ્રિટાસે કહ્યું કે, ‘અમારો ઉદ્દેશ્ય આતંકવાદ સામે ભારતની લડાઈ પ્રત્યે અન્ય દેશોને સંવેદનશીલ બનાવવામાં આવે. ભાજપના સાંસદ અપરાજિતા સારંગીએ કહ્યું કે, ‘અમે 5 દેશોની મુલાકાત લઈને પાછા ફર્યા છીએ અને એક વાત સ્પષ્ટ છે કે, દરેક દેશ ભારત સાથે છે અને આતંકવાદની સખત નિંદા કરે છે.’

આ પ્રતિનિધિમંડળે વિશ્વને સ્પષ્ટ સંદેશ આપ્યો કે ભારતના તમામ રાજકીય પક્ષો આતંકવાદના મુદ્દા પર એક છે અને વૈશ્વિક મંચો પર પાકિસ્તાનને ઉજાગર કરવાની ઝુંબેશ હવે માત્ર સરકાર જ નહીં, પરંતુ સમગ્ર દેશનો સંયુક્ત પ્રયાસ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top