અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ ફિલ્મ મેકર ગાયબ, લાસ્ટ લોકેશન એક્સિડેન્ટ સાઇટથી માત્ર 700 મીટર દૂર, પરિવારે આપ્યા DNA સેમ્પલ
Filmmaker Mahesh Kalawadia Missing After Air India Plane Crash: ગુરુવારે અમદાવાદમાં થયેલા ભયાનક એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના બાદ એક ફિલ્મ નિર્માતા ગાયબ છે. તેમના પરિવારે આશંકા વ્યક્ત કરી છે કે તેઓ અકસ્માત દરમિયાન જમીન પર ગ્રાઉન્ડ વિક્ટિમ (જમીન પર માર્યા ગયેલા લોકો)માં સામેલ હોઈ શકે છે. આજ કારણોસર પરિવારે ઓળખ માટે DNA સેમ્પલ જમા કરાવ્યા છે. તેમના મોબાઇલ ફોનનું છેલ્લું લોકેશન ક્રેશ સાઇટથી માત્ર 700 મીટર દૂર હતું.
ગુરુવારે બપોરે 1:39 વાગ્યે એર ઇન્ડિયાનું વિમાન સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઉડાણ ભર્યા બાદ થોડા મિનિટમાં મેઘાણીનગર વિસ્તારમાં સ્થિત મેડિકલ કોલેજ કેમ્પસમાં ક્રેશ થઈ ગયું હતું. આ ભયાનક અકસ્માતમાં, વિમાનમાં સવાર 242 મુસાફરોમાંથી 241 મુસાફરોના મોત થયા હતા, સાથે જ જમીન રહેલા 29 લોકો પર માર્યા ગયા હતા.
ગુમ થયેલા ફિલ્મ મેકરની ઓળખ મહેશ કલાવડિયા તરીકે થઈ છે, જેને મહેશ જીરાવાલા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ નરોડાના રહેવાસી હતા અને સંગીત આલ્બમ બનાવતા હતા. તેમની પત્ની હેતલે જણાવ્યું હતું કે ગુરુવારે તેઓ લો ગાર્ડન વિસ્તારમાં કોઈને મળવા ગયા હતા. હેતલે કહ્યું કે, ‘મારા પતિએ બપોરે 1:14 વાગ્યે ફોન કર્યો અને મને કહ્યું કે તેમની મીટિંગ પૂરી થઈ ગઈ છે અને તેઓ ઘરે આવી રહ્યા છે. પરંતુ જ્યારે તેઓ ઘરે પાછા ન ફર્યા, ત્યારે મેં તેમને વારંવાર ફોન કર્યા, પરંતુ તેમનો ફોન બંધ આવી રહ્યો હતો. જ્યારે પોલીસને જાણ કરવામાં આવી, ત્યારે મોબાઇલનું છેલ્લું લોકેશન ક્રેશ સાઇટથી માત્ર 700 મીટર દૂર મળી આવ્યું.'
તેણે વધુમાં કહ્યું કે, ‘બપોરે 1:40 વાગ્યે (જે સમયે વિમાન ઉડાણ ભરી હતી) તેમના ફોનનું નેટવર્ક જતું રહ્યું. તેમનું સ્કૂટર અને મોબાઇલ ફોન બંને ગાયબ છે. સૌથી અજીબ વાત એ છે કે તેઓ આ રસ્તા પરથી ક્યારેય ઘરે આવતા નથી, જ્યાં તેમનું છેલ્લું લોકેશન મળ્યું. અમે DNA સેમ્પલ આપ્યા છે, જેથી જાણકારી મેળવી શકાય કે અકસ્માતમાં જમીન પર મૃત્યુ પામેલા લોકોમાં તેઓ પણ હતા કે નહીં.
અકસ્માતને કારણે ઘણા મૃતદેહો ખરાબ રીતે બળી ગયા છે અથવા ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે, એટલે DNA પરીક્ષણ દ્વારા મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે. રવિવાર સુધીમાં અકસ્માતમાં 270 મૃત્યુની પુષ્ટિ થઈ છે. હોસ્પિટલ પ્રશાસને જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં DNA મેચિંગ દ્વારા 86 મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે અને 33 મૃતદેહો પીડિત પરિવારોને સોંપવામાં આવ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp