સીરિઝ અગાઉ કેપ્ટન ગિલને સૌરવ ગાંગુલીએ આપી ખાસ ટિપ્સ, જણાવ્યું-ઈંગ્લેંડની પીચ પર કેવી રીતે બેટિં

સીરિઝ અગાઉ કેપ્ટન ગિલને સૌરવ ગાંગુલીએ આપી ખાસ ટિપ્સ, જણાવ્યું-ઈંગ્લેંડની પીચ પર કેવી રીતે બેટિંગ કરવી જોઇએ

06/16/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

સીરિઝ અગાઉ કેપ્ટન ગિલને સૌરવ ગાંગુલીએ આપી ખાસ ટિપ્સ, જણાવ્યું-ઈંગ્લેંડની પીચ પર કેવી રીતે બેટિં

Sourav Ganguly: ભારતીય ટીમ 20 જૂનથી ઈંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચની શ્રેણીની શરૂઆત કરશે, પરંતુ આ શ્રેણીમાં ભારતીય બેટ્સમેન અને કેપ્ટન શુભમન ગિલને એક મોટા પડકારનો સામનો કરવો પડશે. આ શ્રેણીમાં તે અપેક્ષાકૃત યુવા અને બિનઅનુભવી ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. આ યુવાન બેટ્સમેનની ટેસ્ટ કારકિર્દી અત્યાર સુધી અપેક્ષાઓ પર ખરી ઉતરી નથી. તેણે 32 ટેસ્ટમાં 35.06ની સરેરાશથી રન બનાવ્યા છે. ઈંગ્લેન્ડમાં તેનો રેકોર્ડ વધુ ખરાબ છે. ઈંગ્લેન્ડમાં ગિલે 6 ઇનિંગ્સમાં માત્ર 14.66ની સરેરાશથી રન બનાવ્યા છે.


સૌરવ ગાંગુલીએ આપી આ સલાહ

સૌરવ ગાંગુલીએ આપી આ સલાહ

પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ગિલને આગામી ટેસ્ટ શ્રેણી માટે શુભકામનાઓ પાઠવી અને ઈંગ્લેન્ડની પીચો પર સ્વિંગ અને સીમ મૂવમેન્ટનો સામનો કરવા માટે સાવચેત રહેવાની સલાહ આપી. ગાંગુલીએ કહ્યું કે, હું તેને શુભકામનાઓ પાઠવું છું. મને વિશ્વાસ છે કે તે પોતાની ટેસ્ટ બેટિંગ કુશળતા પર કામ કરશે. તે એક ટોપ-ઓર્ડર બેટ્સમેન છે.

તેમણે કહ્યું કે, આ એવી પરિસ્થિતિઓ નથી, જ્યાં તમે બેટને સીધી સ્વિંગ કરીને રન બનાવી લો. બૉલ સીમ થશે, સ્વિંગ કરશે, નવો બોલ અલગ હશે. ઘણી વખત ભારતની શરૂઆત 10/2 જેવી થઈ શકે છે, ત્યારે નવા બૉલ સાથે સારી રીતે રમત રમવી પડશે, એટલે એપ્રોચ પણ અલગ હશે. ગાંગુલીએ વધુમાં કહ્યું કે, શુભમને ઇંગ્લેન્ડ જેવી પરિસ્થિતિઓમાં પોતાની ડિફેન્સિવ ટેક્નિકમાં સુધારો કરવાની અને બોલને ઓફ સ્ટમ્પની બહાર છોડવાનું શીખવાની જરૂર છે.

જ્યારે બૉલ સીમ અને સ્વિંગ થઈ રહ્યો હોય ત્યારે રન બનાવવા પડકારજનક હોય છે. 100/2 અને 20/4 પર બેટિંગ કરવી 2 અલગ-અલગ પરિસ્થિતિઓ છે. તેણે પોતાનો બચાવ મજબૂત કરવો પડશે અને બોલને ઓફ સ્ટમ્પની બહાર સારી રીતે છોડતા શીખવું પડશે. આ પ્રવાસ ભારતીય ટેસ્ટ ટીમ માટે એક નવા યુગની શરૂઆત છે, કારણ કે વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિચંદ્રન અશ્વિન જેવા દિગ્ગજ ખેલાડીઓ હવે નિવૃત્તિ લઈ ચૂક્યા છે. અશ્વિને બોર્ડર-ગાવસ્કર શ્રેણી દરમિયાન ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી હતી, જ્યારે કોહલી અને રોહિતે અનુક્રમે 7 અને 12 મેના રોજ નિવૃત્તિની જાહેરાત કરી હતી.


ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ભારતીય ટીમઃ

ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ભારતીય ટીમઃ

શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, રિષભ પંત (વાઈસ-કેપ્ટન/વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), અભિમન્યુ ઈશ્વરન, શાર્દૂલ ઠાકુર, જસપ્રીત બૂમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, કરુણ નાયર, વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીનું આખું શેડ્યૂલ

પહેલી ટેસ્ટ: 20-24 જૂન, 2025- હેડિંગ્લે, લીડ્સ

બીજી ટેસ્ટ: 2-6 જુલાઈ, 2025- એજબેસ્ટન, બર્મિંઘમ

ત્રીજી ટેસ્ટ: 10-14 જુલાઈ, 2025- લોર્ડ્સ, લંડન

ચોથી ટેસ્ટ: 23-27 જુલાઈ, 2025- ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર

5મી ટેસ્ટ: 31 જુલાઈ-4 ઓગસ્ટ, 2025- ધ ઓવલ, લંડન.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top