ખાલિસ્તાની આતંકી પન્નુ સામે અમદાવાદમાં FIR:વર્લ્ડ કપ દરમિયાન મોદી સ્ટેડિયમમાં ખાલિસ્તાની ઝંડા ફ

ખાલિસ્તાની આતંકી પન્નુ સામે અમદાવાદમાં FIR:વર્લ્ડ કપ દરમિયાન મોદી સ્ટેડિયમમાં ખાલિસ્તાની ઝંડા ફરકાવવાની ધમકી આપી હતી

09/29/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ખાલિસ્તાની આતંકી પન્નુ સામે અમદાવાદમાં FIR:વર્લ્ડ કપ દરમિયાન મોદી સ્ટેડિયમમાં ખાલિસ્તાની ઝંડા ફ

ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત આગામી 4 ઓક્ટોબરથી થઈ રહી છે. જેમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમની યોજાવાની છે અને 5 ઓક્ટોબરના રોજ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ રમાવવાની છે. ત્યારે વર્લ્ડ કપ પર આતંકવાદી હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે. કારણ કે, વર્લ્ડ કપની મેચ દરમિયાન હુમલો કરવા અંગેનો ઓડિયો જાહેર કરી ખાલીસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુ દ્વારા આપવામાં આવી હતી. જેના પગલે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આજે ગુનો નોંધ્યો છે. વર્લ્ડ કપની મેચ દરમિયાન હુમલો કરવા અંગેની આ ધમકીને પોલીસે પણ ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી છે.


આ ગંભીર મામલામાં ખુદ પોલીસ જ ફરિયાદી બની

પોલીસ દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે, તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક પ્રિરેકોર્ડેડ વોઇસ કલીપ ફરતી કરવામાં આવી છે. જેમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની મેચ દરમિયાન હુમલો કરવા અંગેની ધમકી આપવામાં આવી હતી. શીખ ફોર જસ્ટિસ (SFJ)ના આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુએ ભારતમાં યોજાનારા ક્રિકેટ વર્લ્ડ કપને લઈને ધમકી આપી હતી. તેની તરફથી એક ઓડિયો જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે, ક્રિકેટ વર્લ્ડ કપ નહીં, પરંતુ આતંકવાદ વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે. ગુજરાતના અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચના દિવસે માત્ર ખાલિસ્તાની ઝંડાઓ જ જોવા મળશે. હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો બદલો લેવામાં આવશે. પન્નુનો ઓડિયો તેના સમર્થકો અલગ-અલગ આઈડી પરથી વાઇરલ કરી રહ્યા છે. આ સાથે એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે, આ ઓડિયો પન્નુએ પોતે જાહેર કર્યો હતો.


ઓડિયો ક્લીપ જુદા-જુદા વ્યક્તિને મોકલી

ઓડિયો ક્લીપ જુદા-જુદા વ્યક્તિને મોકલી

એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી ધમકી ભરી ઓડિયો ક્લીપ જુદા-જુદા વ્યક્તિઓને મોકલવામાં આવ્યો હતો. આ ઓડિયો ક્લીપમાં છેલ્લે ગુરપતવંતસિંહ પન્નુ બોલવામાં આવે છે. ગુરપતવંતસિંહ પન્નુ ભારત બહાર રહી ખાલીસ્તાન ચળવળના નામે ‘શીખ ફોર જસ્ટિસ’ (SFJ)ના નામથી ઓર્ગેનાઇઝેશન ચલાવતો મુખ્ય સુત્રધાર છે. જેને ભારત સરકાર દ્વારા આંતકવાદી જાહેર કરવામાં આવ્યો છે.


સાયબર ક્રાઈમ દ્વારા તપાસ શરૂ

સાયબર ક્રાઈમ દ્વારા તપાસ શરૂ

ગુરપતવંતસિંહ પન્નુ દ્વારા ભારત દેશની એકતા-અખંડીતતા, સાર્વભૌમત્વને નુકશાન થાય અને લોકોમાં કોમી વૈમનસ્ય ફેલાય તેવા પ્રકારની અને ભારતના મહાનુભાવોને ચીમકી આપતા જુદા-જુદા વીડિયો અને ટીપ્પણીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ કરવામાં આવી હતી. ખાસ કરીને x ટ્વીટર ઉપર આવા વીડિયો અને ટીપ્પણીઓ કરી દેશમાં આતંકવાદી પ્રવૃત્તિનું કાવતરું કરી ગુનો કરતા સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.


વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે

વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે

ICC ક્રિકેટ વર્લ્ડ કપ- 2023, 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી  છે. 12 વર્ષ બાદ ભારતમાં 50 ઓવરનો ક્રિકેટ વર્લ્ડ કપ રમાઈ રહી  છે. 5 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ક્રિકેટ વર્લ્ડ કપનો પ્રારંભ થશે. અહીં પહેલી મેચ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમ વચ્ચે રમાશે જે ગત વર્લ્ડ કપની ફાઈનલ રમી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top