..તો ભારતના મિસાઇલ હુમલાની ઝપેટમાં આવી જતા PSL રમવા ગયેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ! બાલ-બાલ બચ્યો

..તો ભારતના મિસાઇલ હુમલાની ઝપેટમાં આવી જતા PSL રમવા ગયેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ! બાલ-બાલ બચ્યો જીવ

05/12/2025 World

SidhiKhabar

SidhiKhabar

..તો ભારતના મિસાઇલ હુમલાની ઝપેટમાં આવી જતા PSL રમવા ગયેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ! બાલ-બાલ બચ્યો

ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે, પાકિસ્તાન સુપર લીગ (PSL) 2025 અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવી પડી. જોકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) આ લીગની બાકીની 8 મેચને દુબઈમાં યોજવા માગતું હતું, પરંતુ અમીરાત ક્રિકેટ બોર્ડ (ECB)એ સુરક્ષા કારણોસર યજમાની માટે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો.

ટૂર્નામેન્ટ મુલતવી રાખ્યા બાદ, પાકિસ્તાન સુપર લીગમાં ભાગ લેનારા વિદેશી ખેલાડીઓને પહેલા સંયુક્ત આરબ અમીરાત (UAE) લઈ જવામાં આવ્યા, જ્યાંથી તેમણે પોત-પોતાના દેશો માટે કનેક્ટિંગ ફ્લાઇટ્સ લીધી હતી. હવે ઓસ્ટ્રેલિયન મીડિયાના અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, કાંગારૂ ક્રિકેટર સીન એબોટ, બેન ડ્વારશુઇસ, એશ્ટન ટર્નર અને મિચ ઓવેન મિસાઇલ હુમલામાં માંડ માંડ બચી ગયા હતા.


ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ નૂર ખાન એરબેઝ પરથી રવાના થયા હતા

ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ નૂર ખાન એરબેઝ પરથી રવાના થયા હતા

શનિવારે (10 મે) સવારે, આ ક્રિકેટરોએ સૈન્ય ઠેકાણાઓ પર ભારતની જવાબી કાર્યવાહીથી થોડા કલાક અગાઉ જ રાવલપિંડીના નૂર ખાન એરબેઝથી રવાના થયા હતા. ચાર્ટર્ડ પ્લેન રવાના થયાના થોડા કલાકો બાદ, ભારતે નૂર ખાન એરબેઝ સહિત 3 પાકિસ્તાની એરબેઝ પર મિસાઇલ હુમલા કરીને જવાબી કાર્યવાહી કરી હતી. સારી વાત એ હતી કે ખેલાડીઓ, અધિકારીઓ અને પ્રસારણ ટીમના સભ્યો લગભગ 3 કલાક અગાઉ જ UAE માટે ઉડાણ ભરી ચૂક્યા હતા. ડેવિડ વોર્નર પહેલાથી જ ઓસ્ટ્રેલિયા પરત ફર્યો હતો અને ફ્લાઇટમાં નહોતો.

સિડની મોર્નિંગ હેરાલ્ડના અહેવાલમાં સીન એબોટ અને બેન ડ્વારશુઇસના મેનેજર પીટર લોવિટના સંદર્ભે કહેવામાં આવ્યું છે કે, 'સીન અને બેન હવે દુબઈ પહોંચ્યા બાદ રાહત અનુભવી રહ્યા છે.' સિડની પાછા જવાની તૈયારી કરતા તેઓ એક હોટલમાં રોકાયા. છેલ્લા 24 કલાક બધા ખેલાડીઓ માટે શારીરિક અને માનસિક રીતે પડકારજનક રહ્યા. PSLના આયોજકોએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં ખેલાડીઓને શક્ય તેટલી ઝડપથી પાકિસ્તાનથી બહાર કાઢવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો.

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનના લશ્કરી મુખ્યાલયની નજીક અને ઇસ્લામાબાદથી લગભગ 10 કિલોમીટર દૂર સ્થિત નૂર ખાન એરબેઝ પર હુમલો ખૂબ જ ભયાનક હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે ભારતના મિસાઇલ હુમલા બાદ ધુમાડો અને આગની જ્વાળાઓ ઉઠી રહી હતી, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ગભરાટ ફેલાયો હતો.


ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો

ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો

22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ, ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં કુલ 9 આતંકવાદી ઠેકાણાઓને તોડી પાડ્યા. ત્યારબાદ ભારતે 8 અને 9 મેના રોજ પાકિસ્તાનના ડ્રોન અને મિસાઇલ હુમલાઓને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા. ઉપરાંત, બદલામાં, પાકિસ્તાનને ખૂબ નુકસાન થયું.

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયો છે, પરંતુ સરહદ પર હજુ પણ તણાવ છે. 10 મે (શનિવાર)ના રોજ બંને વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી હતી, પરંતુ પાકિસ્તાને થોડા કલાકો બાદ જ યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. આ હરકત બાદ, ભારતીય વિદેશ મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા પાકિસ્તાનને કડક ચેતવણી આપી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top