દક્ષિણ ગુજરાતને PM મિત્રા પાર્કની ભેટ આપતા પીએમ મોદી બોલ્યા કે, 'મોદીની ગેરંટી એટલે ગેરંટી.....

દક્ષિણ ગુજરાતને PM મિત્રા પાર્કની ભેટ આપતા પીએમ મોદી બોલ્યા કે, 'મોદીની ગેરંટી એટલે ગેરંટી......, જાણો વિગતે

02/22/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

દક્ષિણ ગુજરાતને PM મિત્રા પાર્કની ભેટ આપતા પીએમ મોદી બોલ્યા કે, 'મોદીની ગેરંટી એટલે ગેરંટી.....

દેશના લોકોને રોજગારી પૂરી પાડવી એ હાલની સરકારનો મુખ્ય ધ્યેય છે. મહત્વનું છે કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં સાત જેટલા PM મિત્રા પાર્ક બનાવવાની યોજના હાથ ધરવામાં આવી છે.  જેમાંના એક પીએમ મિત્રા પાર્ક નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી બોરસી ગામે બનાવવાની યોજના છે.


પ્રધાનમંત્રીએ નવસારીમાં મોદીની ગેરંટી વિશે વાત કરી

પ્રધાનમંત્રીએ નવસારીમાં મોદીની ગેરંટી વિશે વાત કરી

નવસારી ખાતે વિવિધ લોક કલ્યાણલક્ષી કાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ પ્રસંગે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા કહ્યું કે, આજકાલ એક જ ચર્ચા જોરશોરથી થઈ રહી છે. પાર્લામેન્ટરીથી ગલી મહોલ્લામાં એક જ વાત થઈ રહી છે, એ છે મોદીની ગેરંટી. ગુજરાતના લોકો સારી રીતે જાણે છે કે, મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી.


પીએમ મિત્ર પાર્કથી સુરત-નવસારીની તસવીર બદલશે

પીએમ મિત્ર પાર્કથી સુરત-નવસારીની તસવીર બદલશે

સુરતના ડાયમંડ અને નવસારીના વસ્ત્રોથી ગુજરાતની ગુંજ વિશ્વમાં થાય છે. સુરતનો સિલ્ક ઉદ્યોગ નવસારી સુધી વિકસ્યો છે. વિશ્વના અનેક દેશને આ ક્ષેત્રે ભારત ટક્કર આપી રહ્યું છે. સુરતના કપડાની એક ઓળખ બની છે. પીએમ મિત્ર પાર્ક તૈયાર થતા જ આ વિસ્તારની તસવીર બદલાઈ જશે. જે નવસારી જિલ્લા માટે આશીર્વાદરૂપ સાબિત થવાનું છે. 3000 કરોડનું રોકાણ થશે.


આ સાથે 5,000થી વધુ લોકોને રોજગારી આપતા એકમો આકાર લેવાના કારણે લોકોમાં પણ ખુશીની લહેર વ્યાપી છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશના રાજ્યોમાં મેગા ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ એન્ડ પીએમ મિત્રા પાર્ક બનાવવા આયોજન બધ્ધ અને દીર્ઘદ્રષ્ટિથી બનાવવામાં આવેલો આ પ્રોજેક્ટ નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે તો ઠીક પરંતુ દક્ષિણ ગુજરાતના વિકાસ માટે પણ મહત્વનું સાબિત થશે.


તાપી રિવર બેરેજ સુરતની સ્થિતિ બદલી નાખશે

તાપી રિવર બેરેજ બનવાથી સુરતમાં વર્ષો સુધી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવી જશે. પૂર જેવી સ્થિતિને પણ પહોચી વળાશે. ગુજરાતના સમાજ જીવનમાં, ઔદ્યોગિક ક્ષેત્રે વીજળીનુ મહત્વ ખુબ સારી રીતે જાણે છે. એક સમય હતો કે, ગુજરાતમાં કલાકો સુધી વીજળી કાપ રહેતો હતો.


પીએમ સૂર્ય ઘર દ્વારા 300 યુનીટ મફત વીજળી અપાશે

પીએમ સૂર્ય ઘર દ્વારા 300 યુનીટ મફત વીજળી અપાશે

પરમાણુ ઉર્જા પ્લાન્ટમાં નવા બે રિએકટર રાષ્ટ્રને સમર્પિત કર્યા છે. બન્ને રિએકટર મેડ ઈન ભારત છે, મેક ઈન ઈન્ડિયા દ્વારા છે. ભારત દરેક ક્ષેત્રે આત્મનિર્ભર બન્યું છે. આ પ્લાન્ટ દ્વારા ગુજરાતને વિપૂલ વીજળી મળશે. સૂર્ય ઊર્જા ક્ષેત્રે પણ ગુજરાત મોખરાના સ્થાને છે. મોદીએ હમણા નવી ગેરંટી આપી છે. 300 યુનિટ સુધી મફત વીજળીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. પીએમ સૂર્ય ઘર એ 300 યુનીટ વીજળી એટલે મધ્યમ વર્ગના કુંટુબને એસી, પંખા, ફ્રિજ, ટીવી વગેરે કાયમ ચાલે. તમારે માત્ર એટલું જ કરવાનું છે ઘર પર સૌર પેનલ રાખો.


ભાજપે 10 વર્ષમાં ભારતને 5મા નંબરનું અર્થતંત્ર બનાવ્યું

ભાજપે 10 વર્ષમાં ભારતને 5મા નંબરનું અર્થતંત્ર બનાવ્યું

કોંગ્રેસ તેના શાસનકાળ દરમિયાન 11માં નંબરનુ અર્થતંત્ર બનાવી શક્યું હતું. તેમ કહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેના કારણે ગામ કે દેશનો વિકાસ ન થઈ શક્યો. ભાજપે  10 વર્ષના શાસનકાળમાં પાંચમા નબંરનું અર્થતંત્ર બનાવી દીધું. નાના શહેરો પણ કનેક્ટીવિટીનુ સારુ ઉદાહરણ બન્યા છે. કોંગ્રેસના સત્તાકાળમાં ઝુપડા હતા. અમે ઝુપડાને બદલે પાકા મકાનો આપી રહ્યાં છીએ. 4 કરોડ પાકા મકાન બનાવીને ગરીબોને આપ્યા છે.


કોંગ્રેસે આદિવાસી અને સમુદ્ર તટે વસેલા ગામની દરકાર ન લીધી

નવસારીમાં સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોંગ્રેસે વર્ષો સુધી દેશ અને ગુજરાતમાં સરકાર ચલાવી છે. પરંતુ ક્યારેય આદિવાસી ગામ અને સમુદ્ર તટે વસેલા ગામ માટે દરકાર નથી લીધી. પરંતુ ભાજપે આ બધાની દરકાર માટે અવિરત કામ કર્યું છે. 2014 સુધી 100થી વધુ જિલ્લા વિકાસની દ્રષ્ટિએ છેલ્લા સ્તરે હતા. જેમાંથી મોટાભાગના જિલ્લા આદિવાસી વસ્તી આધારિત હતા. આજે આ જિલ્લાઓમાં વિકાસ થયો છે. મોદીની ગેરંટી ત્યાથી શરૂ થાય છે જ્યા બીજાની આશા સમાપ્ત થાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top