પતિએ ઘરખર્ચનો હિસાબ રાખવા કહેતા ગંભીર આક્ષેપો સાથે પત્ની પહોંચી કોર્ટમાં, સુપ્રીમ કોર્ટે આપ્યો

પતિએ ઘરખર્ચનો હિસાબ રાખવા કહેતા ગંભીર આક્ષેપો સાથે પત્ની પહોંચી કોર્ટમાં, સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્ત્વપૂર્ણ ચુકાદો! જાણો વિગતો

12/20/2025 National

SidhiKhabar

SidhiKhabar

પતિએ ઘરખર્ચનો હિસાબ રાખવા કહેતા ગંભીર આક્ષેપો સાથે પત્ની પહોંચી કોર્ટમાં, સુપ્રીમ કોર્ટે આપ્યો

કોર્ટ સુધી પહોંચેલા મોટાભાગના પતિ-પત્નીના સંબંધોના કેસમાં કાયદાનો દુરુપયોગ થતો હોવાનું જોવા મળે છે. ઘણાં કેસમાં તો સાવ નાની અમથી બાબતો લઈને કપલો કોર્ટમાં પહોંચી જાય છે. હાલમાં જ આવા એક મામલે સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. જેમાં કોર્ટે સ્પષ્ટ કર્યું કે, જો પતિ તેની પત્નીને ઘરના ખર્ચનો હિસાબ રાખવા માટે કહે, તો તેને 'ક્રૂરતા' માની શકાય નહીં. આ આધારે પતિ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી થઈ શકે નહીં.


શું હતો સમગ્ર મામલો?

શું હતો સમગ્ર મામલો?

વાત જાણે એમ છે કે, એક પત્નીએ તેના પતિ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે FIR નોંધાવી હતી કે, પતિ તેને ઘરના દરેક નાના-મોટા ખર્ચની વિગત રાખવા અને તેની એક્સેલ શીટ બનાવવા માટે મજબૂર કરતો હતો. પત્નીનો અન્ય એક આક્ષેપ એ પણ હતો કે, પતિ તેને પૂછ્યા વગર જ પોતાના માતા-પિતાને પૈસા મોકલતો હતો. આ ઉપરાંત, ગર્ભાવસ્થા અને ડિલિવરી બાદ વજન વધવા બાબતે પતિ તેને સતત ટોણા મારતો હતો અને તે સમયગાળા દરમિયાન તેની પૂરતી કાળજી પણ રાખતો ન હતો. આ સંવેદનશીલ મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે કરી હતી, જેમાં કોર્ટે આ ઘટનાઓને વૈવાહિક જીવનના સામાન્ય ઘર્ષણ ગણાવી હતી.

સુપ્રીમ કોર્ટે પતિ સામેની FIR રદ કરતાં કેટલીક અત્યંત મહત્ત્વની બાબતો સ્પષ્ટ કરી હતી કે, જો પતિ પત્ની પાસે એક્સેલ શીટમાં ખર્ચનો હિસાબ માંગે તો તેને ક્રૂરતા માની શકાય નહીં, કારણ કે આવી બાબતો વૈવાહિક જીવનના રોજબરોજના સામાન્ય ઘર્ષણનો ભાગ છે અને તેને ગુનાની શ્રેણીમાં ન મૂકી શકાય. ઉપરાંત કોર્ટે એમ પણ કહ્યું કે, પુત્ર દ્વારા પોતાના માતા-પિતાને આર્થિક મદદ કરવી એ કોઈ પણ રીતે ગુનાહિત કૃત્ય નથી. જ્યારે પત્નીના વજન બાબતે ટોણા મારવા કે કાળજીના અભાવ જેવા આક્ષેપો પર કોર્ટે સ્વીકાર્યું કે, આ બાબતો પતિના ચરિત્ર પર સવાલ જરૂર ઉઠાવે છે, પરંતુ આટલી વાત માટે તેને લાંબી કાયદાકીય પ્રક્રિયા કે જેલની સજા જેવી મુસીબતમાં ધકેલી શકાય નહીં.


કાયદાના દુરુપયોગ સામે ચેતવણી

કાયદાના દુરુપયોગ સામે ચેતવણી

સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વૈવાહિક વિવાદોમાં અદાલતોએ અત્યંત સાવધ રહેવું જોઈએ. ફરિયાદો ઘણીવાર અસ્પષ્ટ અને સામાન્ય હોય છે, જેનો ઉપયોગ અંગત બદલો લેવા માટે થતો હોય છે. અને આવી નાની બાબતોને ક્રૂરતાની શ્રેણીમાં મૂકવાથી કાયદાની વિશ્વસનીયતા જોખમાય છે. કોર્ટે અંતમાં ઉમેર્યું કે પતિનું નાણાકીય બાબતોમાં પ્રભુત્વ હોવું એ ભારતીય સમાજનું એક પાસું હોઈ શકે છે, પરંતુ જ્યાં સુધી કોઈ શારીરિક કે માનસિક નુકસાન સાબિત ન થાય ત્યાં સુધી તેને ક્રૂરતા ગણી શકાય નહીં.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top