ભારતમાં આ શું થઈ રહ્યું છે? આ યુનિવર્સિટીમાં હિન્દુ વિદ્યાર્થીઓને બળજબરીપૂર્વક નમાજ પઢાવાઇ, 8 લ

ભારતમાં આ શું થઈ રહ્યું છે? આ યુનિવર્સિટીમાં હિન્દુ વિદ્યાર્થીઓને બળજબરીપૂર્વક નમાજ પઢાવાઇ, 8 લોકો વિરુદ્ધ કેસ

04/28/2025 National

SidhiKhabar

SidhiKhabar

ભારતમાં આ શું થઈ રહ્યું છે? આ યુનિવર્સિટીમાં હિન્દુ વિદ્યાર્થીઓને બળજબરીપૂર્વક નમાજ પઢાવાઇ, 8 લ

છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં રાષ્ટ્રીય સેવા યોજના (NSS) શિબિર દરમિયાન ગુરુ ઘાસીદાસ સેન્ટ્રલ યુનિવર્સિટીના હિન્દુ વિદ્યાર્થીઓને નમાઝ પઢવા માટે દબાણ કરવાના આરોપમાં 7  ફેકલ્ટી સભ્યો સહિત 8 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. FIRમાં નામ આપવામાં આવેલા વ્યક્તિઓને તેમના નિવેદનો નોંધવા માટે હાજર રહેવા માટે નોટિસ આપવામાં આવી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.


દક્ષિણપંથી સંગઠનોએ કાર્યવાહીની માગ કરી

દક્ષિણપંથી સંગઠનોએ કાર્યવાહીની માગ કરી

માહિતી અનુસાર, બિલાસપુર જિલ્લાના કોટા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા શિવતરાઈ ગામમાં 26 માર્ચથી 1 એપ્રિલ દરમિયાન આયોજિત NSS શિબિર દરમિયાન, 159 વિદ્યાર્થીઓને નમાઝ પઢવાની મજબૂર કરવામાં આવ્યા હતા, જ્યારે તેમાંથી માત્ર 4 મુસ્લિમ વિદ્યાર્થીઓ હતા. વિદ્યાર્થીઓ પાછા આવવા અને વિરોધ પ્રદર્શન બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી, ત્યારબાદ દક્ષિણપંથી સંગઠનોએ કાર્યવાહીની માગ કરી હતી.

આ મામલાની તપાસ માટે વરિષ્ઠ પોલીસ અધિક્ષક રજનીશ સિંહે શહેર પોલીસ અધિક્ષક (કોતવાલી) અક્ષય સબદારાના નેતૃત્વ હેઠળ 4 સભ્યોની સમિતિની રચના કરી હતી. તપાસ રિપોર્ટ SSPને સુપરત કર્યા બાદ શનિવારે કેસ નોંધવામાં આવ્યો હતો. ગુરુ ઘાસીદાસ સેન્ટ્રલ યુનિવર્સિટીના 7 ફેકલ્ટી સભ્યો સહિત 8 લોકો સામે ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.


આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી

આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી

આ સાથે, છત્તીસગઢ ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ હેઠળ ધર્મના આધારે જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા, ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા અને અન્ય ગુનાઓ માટે કેસ પણ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. કોટા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સુમિત કુમારે રવિવારે જણાવ્યું હતું કે કેસ ડાયરી મળી ગઈ છે. આ સાથે, આ મામલાની તપાસ શરૂ થઈ ગઈ છે.

યુનિવર્સિટી મેનેજમેન્ટના મીડિયા ઇન્ચાર્જ એમ.એન. ત્રિપાઠીએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓએ NSS કોઓર્ડિનેટર અને પ્રોગ્રામ ઓફિસર પર ધાર્મિક પ્રવૃત્તિઓમાં બળજબરીથી સામેલ કરવાનો આરોપ લગાવ્યો છે. કોઓર્ડિનેટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કોઈ પહેલી ઘટના નથી. આ અગાઉ પણ હિન્દુ દેવી-દેવતાઓના કથિત અપમાન, ભગવાન બજરંગબલીના મંદિરને તોડી પાડવા અને વહીવટી ભવનમાં નમાજ પઢવાની ઘટનાઓ બની ચૂકી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top