સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર શર્મિષ્ઠા પનોલી વિરુદ્ધ કેસ નોંધાવનાર વજાહત ખાનની કોલકાતાથી ધરપકડ

સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર શર્મિષ્ઠા પનોલી વિરુદ્ધ કેસ નોંધાવનાર વજાહત ખાનની કોલકાતાથી ધરપકડ

06/10/2025 National

SidhiKhabar

SidhiKhabar

સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર શર્મિષ્ઠા પનોલી વિરુદ્ધ કેસ નોંધાવનાર વજાહત ખાનની કોલકાતાથી ધરપકડ

Wajahat Khan Arrested:ખાડો ખોદે તે જ પડે આ ગુજરાતી કહેવત તો તમે સાંભળી જ હશે. આ કહેવત પશ્ચિમ બાંગાળના વજાહત ખાન પર બરાબર ફિટ બેસે છે. વજાહત ખાને શર્મિષ્ઠા પનોલી વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ ફરિયાદ નોંધાવી અને પછી શર્મિષ્ઠાની ધરપકડ થઈ. પછી શું હતું? વજાહત ખાનની પણ હિસ્ટ્રી નીકળવા લાગી. તે પણ કંઈ દૂધથી ધોયેલો નહોતો, તેણે પણ હિન્દુ દેવી-દેવતાઓ સામે આપત્તિજનક ભાષાનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ  કરી હતી, જે વાયરલ થવા લાગી. શર્મિષ્ઠાની ધરપકડ થઈ અને પછી વજાહત સામે પણ હિન્દુ સંગઠનો અને અન્ય લોકોએ મોરચો ખોલી દીધો અને વજાહત ખાન વિરુદ્ધ FIR નોંધાવાઈ હતી.


વજાહત ખાનની ધરપકડ

વજાહત ખાનની ધરપકડ

સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર અને કાયદાની વિદ્યાર્થીની શર્મિષ્ઠા પાનોલીની 30 મેના રોજ ગુરુગ્રામથી ધરપકડ કરવામાં આવી હતી. હવે આ જ કેસમાં ફરિયાદ નોંધાવનાર વજાહત ખાનની કોલકાતા પોલીસે ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વજાહત ખાન 1 જૂનથી ફરાર હતો અને વારંવાર સમન્સ પાઠવવા છતા તે પોલીસ સમક્ષ હાજર થયો નહોતો.

કોલકાતાના ગોલ્ફ ગ્રીન પોલીસ સ્ટેશનમાં વજાહત ખાન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. તેના પર સોશિયલ મીડિયા દ્વારા વાંધાજનક પોસ્ટ કરવાનો, જેમાં હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન, ઉશ્કેરણીજનક અને અશ્લીલ ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ છે. શ્રી રામ સ્વાભિમાન પરિષદ નામના સંગઠને 2 જૂને વજાહત વિરુદ્ધ ઔપચારિક ફરિયાદ પણ કરાવી હતી.


30 મેના રોજ શર્મિષ્ઠાની ગુરુગ્રામથી ધરપકડ થઈ હતી

30 મેના રોજ શર્મિષ્ઠાની ગુરુગ્રામથી ધરપકડ થઈ હતી

આ અગાઉ 30 મેના રોજ ગુરુગ્રામથી કોલકાતા પોલીસે શર્મિષ્ઠા પનોલીની ધરપકડ કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે કેટલાક મુસ્લિમ બોલિવુડ મુસ્લિમ સ્ટાર પર ઓપરેશન સિંદૂર પર મૌન સાધવાને લઈને આપત્તિ દર્શાવી હતી. વીડિયોમાં ઉપયોગ કરવામાં આવેલી ભાષાને સાંપ્રદાયિક અને આપત્તિજનક બતાવવામાં આવી. બાદમાં પનોલી વીડિયો ડીલિટ કરી દીધો હતો અને માફી પણ માગી હતી.

બીજી તરફ પનોલીને કોર્ટે હવે વચગાળાના જામીન આપી દીધા છે. જામીની શરત હેઠળ તે દેશ છોડીને નહીં જઇ શકે અને 10 હજાર રૂપિયાની રકમ કોર્ટમાં જમા કરવી પડી. કોર્ટે કહ્યું કે, અભિવ્યક્તિની સ્વતંત્રતા નિરંકુશ હોતી નથી અને તેનો ઉપયોગ કોઈ ધાર્મિક ભાવનાઓ ઠેસ પહોંચાડવા માટે નહીં કરી શકાય.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top