નવરાત્રિને લઈ હિન્દુવાદી સંગઠનો મેદાનમાં, પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપી કરી આ માંગ

નવરાત્રિને લઈ હિન્દુવાદી સંગઠનો મેદાનમાં, પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપી કરી આ માંગ

09/30/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

નવરાત્રિને લઈ હિન્દુવાદી સંગઠનો મેદાનમાં, પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપી કરી આ માંગ

વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ નવરાત્રિને શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે. પિતૃ પક્ષ સમાપ્ત થતાં જ  નવરાત્રિ શરૂ થશે. જોકે આ પહેલા રાજકોટમાં હિન્દુવાદી સંગઠનો મેદાનમાં આવ્યા છે. અલગ અલગ સમાજના આગેવાનો દ્વારા પોલીસ કમિશ્નર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં અર્વાચીન રાતોત્સવમાં જે ખેલૈયાઓ આવે તેમના આધાર કાર્ડ લઈને પાસ ઈશ્યુ કરવામાં આવે, પાસની અંદર આખું નામ સ્પષ્ટ લખવામાં આવે, અત્યાર સુધી માત્ર નંબર આપીને ઈશ્યુ કરવામાં આવતા હતા પરંતુ હવે પૂરેપૂરું નામ લખવામાં આવે જેથી સાથે રમતા ખેલૈયાઓને ખબર પડે કે તેઓ કોની સાથે રમે છે તેવી માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ કમિશ્નર જાહેરનામું પ્રસિદ્ધ ન કરે તો આયોજકોએ પોતે આ રીતે આયોજન કરવું જોઈએ તેમ જણાવ્યું હતું.


નવરાત્રિમાં લવિંગના ચમત્કારી ઉપાય અજમાવો

નવરાત્રિમાં લવિંગના ચમત્કારી ઉપાય અજમાવો

નવરાત્રિના પ્રથમ દિવસે  ઘટસ્થાપનની સાથે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન લેવાયેલા કેટલાક ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આ ઉપાયો કરવાથી વ્યક્તિને માતા ભવાનીના વિશેષ આશીર્વાદ મળે છે. નવરાત્રિ દરમિયાન કરવામાં આવતા આ ઉપાય ખૂબ જ અસરકારક છે. તેમાંથી લવિંગ સંબંધિત કેટલાક ઉપાયો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.  એક નાનું લવિંગ માત્ર સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી, પરંતુ તેમાં જ્યોતિષીય ઉપાય પણ છે. નવરાત્રિ દરમિયાન લવિંગ સંબંધિત આ ઉપાયો કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવી શકાય છે. આવો જાણીએ નવરાત્રિ દરમિયાન લવિંગ સાથે જોડાયેલા આ ઉપાયો વિશે.

રાહુ-કેતુના અશુભ પ્રભાવોને ઘટાડવા માટે નવરાત્રિ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. રાહુ-કેતુની ખરાબ અસર લવિંગના ઉપાયથી ઓછી કરી શકાય છે. નવરાત્રિ દરમિયાન દરરોજ લવિંગનું દાન કરવું જોઈએ. આ સિવાય નવરાત્રિ દરમિયાન દરરોજ શિવલિંગ પર એક જોડી લવિંગ ચઢાવો. આમ કરવાથી રાહુ અને કેતુની અશુભ અસર તમારી કુંડળીમાંથી દૂર થાય છે અને તમારા ઘરમાં સમૃદ્ધિ આવે છે.

જો ઘરમાં હંમેશા સંઘર્ષ રહેતો હોય તો પીળા કપડામાં લવિંગની જોડી બાંધીને ઘરના કોઈ ખૂણામાં લટકાવી દો. તેનાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. લવિંગની આ જોડી તિજોરી પાસે રાખવાથી ઘરમાં પૈસાની અછત દૂર થાય છે. 3 લવિંગને લાલ કપડામાં બાંધીને મા દુર્ગાના મંદિરમાં દાન કરો. આવું કરવાથી દાંપત્ય જીવનમાં પ્રેમ વધે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top