અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી ચેપ્ટર 2’ થિયેટરમાં જોતા પહેલા વાંચી લેજો આ રિવ્યૂ

અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી ચેપ્ટર 2’ થિયેટરમાં જોતા પહેલા વાંચી લેજો આ રિવ્યૂ

04/18/2025 Glamour

SidhiKhabar

SidhiKhabar

અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી ચેપ્ટર 2’ થિયેટરમાં જોતા પહેલા વાંચી લેજો આ રિવ્યૂ

આપણા દેશમાં ન જાણે કેટલાય એવા નાયકો થઇ ગયા છે, જેમના વિશે આપણે જાણતા પણ નથી. કેટલાક વિષે તો તમને બે-ચાર લાઈનો ખબર હશે, પરંતુ કેટલાક તો એવા પણ છે જેમનું નામ તમે કદાચ સાંભળ્યું પણ નહીં હોય. આ ફિલ્મ એવા જ એક હીરો સી. શંકરન નાયરની કહાની છે, અને આ કહાની જોયા પછી તમારી છાતી ગર્વથી ફૂલી જશે. તમને ગર્વ થશે કે આપણે એવા ભારતમાં જન્મ્યા છીએ, જ્યાં આવા વીરોનો જન્મ થયો હતો. દરેક વ્યક્તિએ આ ફિલ્મ જોવી જોઈએ, કારણ કે આવી ફિલ્મો માત્ર મનોરંજન જ નથી કરતી, પરંતુ ઘણી બધી વસ્તુઓ એવી છે આપણે કરવાની જરૂર છે.


કહાની

કહાની

આ કહાની છે સી. શંકરન નાયરની, જેઓ એક વકીલ હતા. તેઓ બ્રિટિશ સરકારમાં પણ સારા હોદ્દા પર હતા, કોંગ્રેસના પ્રમુખ રહ્યા, જલિયાંવાલા બાગ કાંડ બાદ, તેમણે અંગ્રેજો વિરુદ્ધ મોરચો ખોલ્યો અને કેસ લડ્યા. શું હતો એ કેસ, તેમણે આ કેસ શા માટે લડવો પડ્યો, આ કેસમાં શું થયું, તમારે થિયેટરમાં જઈને આ બધું જોવું પડશે.


ફિલ્મ કેવી છે?

ફિલ્મ કેવી છે?

તેને ફિલ્મ નહીં, પરંતુ અનુભવ કહેવો જોઈએ. આ ફિલ્મ તમને પહેલી ફ્રેમથી જ મોહિત કરી દે છે અને પછી તમે આ અનુભવનો એક ભાગ બની જાવ છો. તમે જલિયાંવાલા બાગ હત્યાકાંડના પીડિતોનું દુઃખ અનુભવો છો, તમે તેમની ચીસો સાંભળી શકો છો. તમારી અંદર પણ એ ગુસ્સો આવે છે, જે સી. શંકરન નાયરની અંદર હતો. આ ફિલ્મ તમને એક સેકન્ડ માટે પણ આંખના પલકારા મારવાની તક આપતી નથી અને આવી ફિલ્મ દરમિયાન તમારે તમારા ફોન તરફ પણ ન જોવો જોઈએ કારણ કે તે આવી ફિલ્મોનું અપમાન છે અને અક્ષય કુમારે પોતે આ વાત કહી હતી. આ ફિલ્મ જોતી વખતે તમને અક્ષયની આ વાત સાચી પણ લાગે છે. તમને નવાઈ લાગશે કે આપણા દેશમાં આવા હીરો થયા અને આપણને ખબર પણ નહોતી, કોર્ટના સીન શાનદાર છે. તેને આ વર્ષની અત્યાર સુધીની શ્રેષ્ઠ ફિલ્મ કહેવી જ જોઈએ. આ ફિલ્મ સાથે સંકળાયેલા તમામ લોકોના કરિયરની શ્રેષ્ઠ ફિલ્મ પણ કહી શકાય.


અભિનય

અભિનય

અક્ષય કુમારે એવું કામ કર્યું છે કે તેનું વર્ણન કરવા માટે પૂરતા શબ્દો નથી. જો તમને ક્યારેય તેની સામે કોઈ ફરિયાદ થઈ હોય તો આ ફિલ્મ જોઇને એ ફરિયાદ દૂર થઈ જશે. અક્ષયે આ પાત્રને અદ્ભુત રીતે જીવ્યું છે. તેણે આ પાત્રમાં શાનદાર વિશ્વાસ લાવ્યો છે અને આજકાલ ફિલ્મોમાં આ વાત ખૂટે છે. આ જોયા પછી જો તમે અક્ષયના ફેન ન હોવ તો પણ, બની જશો. માધવને ફરી એકવાર સાબિત કર્યું છે કે તે કોઈપણ પ્રકારનું પાત્ર સારી રીતે ભજવી શકે છે. અહીં પણ તે અદ્ભુત લાગે છે અને તેણે શાનદાર અભિનય કર્યો છે.અનન્યા પાંડેએ પહેલી વાર આટલા પ્રભાવિત કર્યા છે, તેની ઘણીવાર ટીકા થાય છે, ટ્રોલ કરવામાં આવે છે, પરંતુ અનન્યાએ તેના અભિનયમાં સુધારો કર્યો છે અને આ માટે તેની પ્રશંસા થવી જોઈએ. જો કોઈ પોતાને બદલી રહ્યું હોય તો તેને સાથ આપવો જોઈએ અને અનન્યા અહીં પ્રશંસાને પાત્ર છે. અમિત સિયાલનું કામ જબરદસ્ત છે.


દિગ્દર્શન અને લેખન

દિગ્દર્શન અને લેખન

કરણ સિંહ ત્યાગી અને અમૃતપાલ સિંહ બિન્દ્રાએ ફિલ્મ લખી છે અને કરણ સિંહ ત્યાગીએ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. બંને આ ફિલ્મના હીરો છે. બંનેએ જે શાનદાર કામ કર્યું છે, તેના માટે જેટલા વખાણ કરવામાં આવે એટલા ઓછા છે. તેમણે ફિલ્મના દરેક ફ્રેમ પર ખૂબ મહેનત કરી છે. દરેક પાત્રનો જરૂર મુજબ ઉપયોગ કરવામાં આવ્યો છે. દરેક પાત્ર અને દરેક સીન અદ્ભુત રીતે લખાયું છે. કરણ જોહરની પણ પ્રશંસા થવી જોઈએ કેમ કે તેણે આવી સિનેમાને સપોર્ટ કરી અને આવી સિનેમા બનાવી. એકંદરે, આ ફિલ્મ જરૂર જોજો, ન જોવાનો કોઈ સવાલ જ નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top