Tunisha Sharma Case : તુનિષાની મિત્રએ કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું-'પોતાની જાતીય જરૂરિયાતો પ

Tunisha Sharma Case : તુનિષાની મિત્રએ કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું-'પોતાની જાતીય જરૂરિયાતો પૂરી કરવા માટે...'

12/27/2022 Glamour

SidhiKhabar

SidhiKhabar

Tunisha Sharma Case : તુનિષાની મિત્રએ કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું-'પોતાની જાતીય જરૂરિયાતો પ

ગ્લેમર ડેસ્ક : ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માના મોત કેસમાં સતત નવી વાતો સામે આવી રહી છે અને હવે એક્ટ્રેસના મિત્ર દ્વારા ચોંકાવનારો ખુલાસો થયો છે. તુનિષાના મિત્ર રૈયા લબીબે દાવો કર્યો છે કે તુનીષાના સહ અભિનેતા અને બોયફ્રેન્ડ શીજાન મોહમ્મદ ખાન (શીજાન એમ ખાન)ના અનેક મહિલાઓ સાથે સંબંધો હતા. જણાવવામાં આવી રહ્યું છે કે બોયફ્રેન્ડ શીજાન ખાન સાથે બ્રેકઅપ બાદ 24 ડિસેમ્બરે તુનીશાએ આત્મહત્યા કરી લીધી હતી. જોકે, પોલીસ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે અને શીજાનની ધરપકડ કરીને તેની પૂછપરછ કરી રહી છે.


શીજાનના 6-10 છોકરીઓ સાથે સંબંધો હતાઃ તુનીષાની મિત્ર

શીજાનના 6-10 છોકરીઓ સાથે સંબંધો હતાઃ તુનીષાની મિત્ર

તુનિષા શર્માની મિત્ર રૈયા લબીબે શીજાન મોહમ્મદ ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે અને કહ્યું છે કે તે એક જ સમયે ઘણી છોકરીઓને ડેટ કરતો હતો. રૈયાએ દાવો કર્યો છે કે શીજાનનું ઘણી છોકરીઓ સાથે અફેર હતું અને તેણે 6 થી 10 મહિલાઓ સાથે શારીરિક સંબંધો પણ બનાવ્યા હતા.


'શીજાનની એક્સ ગર્લફ્રેન્ડે આ વાત કહી'

'શીજાનની એક્સ ગર્લફ્રેન્ડે આ વાત કહી'

રૈયા લબીબે જણાવ્યું કે તેને આ માહિતી શીજાન મોહમ્મદ ખાનની પૂર્વ પ્રેમિકા પાસેથી મળી છે. રૈયાએ જણાવ્યું કે શીજાન તે છોકરી સાથે રિલેશનશિપમાં હતો, પરંતુ બાદમાં બ્રેકઅપ થઈ ગયું. રૈયાએ દાવો કર્યો હતો કે લગભગ ચાર મહિના પહેલા જ્યારે યુવતીને શીજાનની નવી ગર્લફ્રેન્ડ તુનિષા વિશે ખબર પડી ત્યારે તે ભાંગી પડી હતી. તેણી ડિપ્રેશનની સારવાર હેઠળ છે અને તે આ વિશે વાત કરવા માંગતી નથી.


ઘણી મહિલાઓનો ઉપયોગ કર્યો

ઘણી મહિલાઓનો ઉપયોગ કર્યો

તુનિષા શર્માની મિત્ર રૈયા લબીબે આરોપ લગાવ્યો છે કે શીજાન મોહમ્મદ ખાને પોતાની જાતીય જરૂરિયાતો પૂરી કરવા માટે ઘણી મહિલાઓનો ઉપયોગ કર્યો હતો. શીજાનને પ્રેમમાં રસ નહોતો અને તે તમામ યુવતીઓને છેતરતો હતો. શરુઆતમાં છોકરીઓ તેના લુકને કારણે આકર્ષિત થતી હતી અને પછી શીજાન માત્ર સેક્સ માટે જ તેની સાથે સંબંધ બાંધતો હતો. તેણે તુનિષા સાથે પણ આવું જ કર્યું અને બાદમાં બ્રેકઅપ થઈ ગયું.

તુનિષા ગર્ભવતી હોઈ શકે છે: રૈયા

રૈયા લબીબે કહ્યું કે, તુનિષા શર્મા પ્રેગ્નન્ટ હોવાની પૂરેપૂરી શક્યતા છે. શક્ય છે કે મૃત્યુ સમયે તે ગર્ભવતી ન હતી, પરંતુ તે અગાઉ ગર્ભવતી બની હશે અને ગોળીઓ ખાઈને ગર્ભપાત કરાવ્યો હશે. મને ખાતરીપૂર્વક ખબર નથી, પણ તુનિષા કંઈક વિશે ખૂબ જ ચિંતિત હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top