આ દેશમાં ગુમ થયા 3 ભારતીય નાગરિક, ભારતીય દૂતાવાસે ઉઠાવ્યો મામલો

આ દેશમાં ગુમ થયા 3 ભારતીય નાગરિક, ભારતીય દૂતાવાસે ઉઠાવ્યો મામલો

05/29/2025 World

SidhiKhabar

SidhiKhabar

આ દેશમાં ગુમ થયા 3 ભારતીય નાગરિક, ભારતીય દૂતાવાસે ઉઠાવ્યો મામલો

ઈરાનમાં એક જ પરિવારના 3 ભારતીય સભ્યોના ગુમ થવાનો એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. ત્યારબાદ, ઈરાનમાં ભારતીય દૂતાવાસે બુધવારે ઈરાની અધિકારીઓ સમક્ષ આ મામલો ઉઠાવ્યો. ભારતીય દૂતાવાસે કહ્યું કે તેમણે ઈરાનમાં ગુમ થયેલા 3 ભારતીય નાગરિકોનો મામલો ત્યાંના અધિકારીઓ સમક્ષ ઉઠાવ્યો છે. ત્રણેય ગુમ થયેલા વ્યક્તિઓ એક જ પરિવારના છે અને ઈરાનની મુલાકાત દરમિયાન તેમનો સંપર્ક અચાનક તૂટી ગયો હતો. ત્યારથી તેમની બાબતે કોઈ માહિતી મળી શકી નથી.


દૂતાવાસે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X પર કરી પોસ્ટ

દૂતાવાસે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X પર કરી પોસ્ટ

દૂતાવાસે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે, ‘3 ભારતીય નાગરિકોના પરિવારના સભ્યોએ દૂતાવાસને જાણ કરી છે કે તેમના સંબંધીઓ ઈરાનની યાત્રા બાદ ગુમ છે. ત્યારબાદ, આ મુદ્દો ઈરાની અધિકારીઓ સમક્ષ ગંભીરતાથી ઉઠાવવામાં આવ્યો છે. જોકે, ભારતીય મિશન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી નથી કે ત્રણેય નાગરિકો ક્યારે અને ક્યાં ગુમ થયા.


દૂતાવાસે તાત્કાલિક કાર્યવાહીની માગ કરી

દૂતાવાસે તાત્કાલિક કાર્યવાહીની માગ કરી

ભારતીય દૂતાવાસે ખાતરી આપી છે કે ઈરાની અધિકારીઓ પાસેથી તાત્કાલિક કાર્યવાહીની માગ કરવામાં આવી છે. જેથી ગુમ થયેલા ભારતીયોને વહેલી તકે શોધી શકાય અને તેમની સલામતી સુનિશ્ચિત કરી શકાય. દૂતાવાસે કહ્યું કે, ‘અમે આ મામલો ઈરાની અધિકારીઓ સમક્ષ ઉઠાવ્યો છે અને તેમને ગુમ થયેલા ભારતીય નાગરિકોની શોધ ઝડપી બનાવવા વિનંતી કરી છે. પોસ્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે દૂતાવાસ નિયમિતપણે પીડિતોના પરિવારોને પરિસ્થિતિ વિશે અપડેટ કરી રહ્યું છે અને શક્ય તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top