દારૂ કૌભાંડ બાદ વધુ એક કેસમાં ફસાયા મનીષ સિસોદિયા-સત્યેન્દ્ર જૈન; ACBએ પાઠવ્યા સમન્સ

દારૂ કૌભાંડ બાદ વધુ એક કેસમાં ફસાયા મનીષ સિસોદિયા-સત્યેન્દ્ર જૈન; ACBએ પાઠવ્યા સમન્સ

06/04/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

દારૂ કૌભાંડ બાદ વધુ એક કેસમાં ફસાયા મનીષ સિસોદિયા-સત્યેન્દ્ર જૈન; ACBએ પાઠવ્યા સમન્સ

દિલ્હી સરકારની ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB)એ દિલ્હીની સરકારી શાળાઓમાં વર્ગખંડોના બાંધકામમાં કથિત ભ્રષ્ટાચારના સંદર્ભમાં આમ આદમી પાર્ટી (AAP)ના વરિષ્ઠ નેતાઓ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને સમન્સ પાઠવ્યા છે. ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને 9 જૂને અને ભૂતપૂર્વ PWD મંત્રી સત્યેન્દ્ર જૈનને 6 જૂને ACB ઓફિસમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ કેસ 12,748 વર્ગખંડોના બાંધકામમાં 2,000 કરોડના કથિત કૌભાંડ સાથે સંબંધિત છે. ચાલો જાણીએ આ તપાસ શા માટે જરૂરી હતી અને આ મામલો આટલો વિવાદાસ્પદ કેમ છે?


શું છે આખો મામલો

શું છે આખો મામલો

આ કૌભાંડ સૌપ્રથમ 2019માં ત્યારે સામે આવ્યો, જ્યારે ભાજપના નેતાઓ કપિલ મિશ્રા, હરીશ ખુરાના અને નીલકાંત બક્ષીએ દિલ્હી સરકાર પર વર્ગખંડના બાંધકામમાં નાણાકીય અનિયમિતતાનો આરોપ લગાવ્યો હતો. ફરિયાદ મુજબ, દરેક વર્ગખંડનો બાંધકામ ખર્ચ પ્રતિ રૂમ 24.86 લાખ હતો, જ્યારે સામાન્ય રીતે દિલ્હીમાં આવા રૂમ 5 લાખ રૂપિયામાં બનાવી શકાય છે. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC)ના 2020ના અહેવાલમાં પણ CPWD નિયમો, નાણાકીય દિશા-નિર્દેશ અને ટેન્ડર પ્રક્રિયામાં અનિયમિતતાઓની વાત સામે આવી છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સેમી પર્મનેન્ટ સ્ટ્રક્ચર (SPS) માટે પ્રતિ ચોરસ ફૂટ 8,800 રૂપિયાનો ખર્ચ વસૂલવામાં આવ્યો હતો, જે સામાન્ય ખર્ચ કરતા પાંચ ગણો વધુ હતો.


AAPનો જવાબ

AAPનો જવાબ

ACBએ 30 એપ્રિલ 2025ના રોજ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન સામે FIR નોંધી હતી. તપાસમાં જાણવા મળ્યું કે 2015-16માં મંજૂર થયેલ પ્રોજેક્ટ જૂન 2016 સુધીમાં પૂર્ણ થયો નથી અને ખર્ચઆ 17 ટકા 90 ટકા સુધીનો વધારો થયો. ટેન્ડર પ્રક્રિયામાં અનિયમિતતાઓ, AAP સાથે જોડાયેલા 34 કોન્ટ્રાક્ટરોને અનુચિત લાભ અને માગણી વિના વધારાના નિર્માણ જેવા આરોપો લાગ્યા. AAPએ તેને ભાજપનું રાજકીય કાવતરું ગણાવ્યું છે. મનીષ સિસોદિયાએ કહ્યું છે કે, મારા, સત્યેન્દ્ર જૈન, આતિશી કે અરવિંદ કેજરીવાલ સામે ગમે તેટલા કેસ નોંધાય, અમે ભાજપ સામે નહીં ઝૂકીએ.


ACBની કાર્યવાહી

ACBની કાર્યવાહી

CVC અને દિલ્હી વિજિલન્સ ડિરેક્ટોરેટના અહેવાલોમાં વારંવાર ગેરરીતિઓ ઉજાગર થવા અને વર્ષ 2019થી સતત ફરિયાદો બાદ ACB પર કાર્યવાહી કરવાનું દબાણ હતું. લેફ્ટનન્ટ ગવર્નરે માર્ચ 2025માં આ તપાસને મંજૂરી આપી હતી. ભાજપ અને કોંગ્રેસે તેને જનતાના પૈસાની લૂંટનો મામલો ગણાવ્યો હતો. દિલ્હી આબકારી નીતિ અને મની લોન્ડરિંગ કેસમાં પહેલાથી જ જામીન પર રહેલા સિસોદિયા અને જૈન હવે આ નવા કેસમાં તપાસનો સામનો કરશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top