બલૂચિસ્તાનમાં BLAનો મોટો હુમલો, IED વિસ્ફોટમાં 10 પાકિસ્તાની સૈનિકોના મોત

બલૂચિસ્તાનમાં BLAનો મોટો હુમલો, IED વિસ્ફોટમાં 10 પાકિસ્તાની સૈનિકોના મોત

04/26/2025 World

SidhiKhabar

SidhiKhabar

બલૂચિસ્તાનમાં BLAનો મોટો હુમલો, IED વિસ્ફોટમાં 10 પાકિસ્તાની સૈનિકોના મોત

બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેના પર મોટો હુમલો થયો છે. બલૂચ લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે, તેણે ક્વેટા નજીક માર્ગટ વિસ્તારમાં પાકિસ્તાની સેના પર હુમલો કર્યો છે અને 10 સૈનિકોને મારી નાખ્યા છે. BLAના જણાવ્યા અનુસાર, આ હુમલો રિમોટ-કંટ્રોલ્ડ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં સેનાનું વાહન સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. આ વિસ્તાર લાંબા સમયથી બલૂચ વિદ્રોહીઓની ગતિવિધિઓનું કેન્દ્ર રહ્યો છે. હાલમાં, પાકિસ્તાની સેના દ્વારા આ હુમલા અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. બલૂચ લિબરેશન આર્મી છેલ્લા ઘણા વર્ષોથી બલૂચિસ્તાનની સ્વતંત્રતાની માગણી સાથે સશસ્ત્ર સંઘર્ષ લડી રહી છે.

પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી સતત વિદ્રોહીઓના હુમલા થઈ રહ્યા છે. ગયા મહિને ક્વેટાથી તફ્તાન જઈ રહેલા સેનાના કાફલા પર બલૂચ વિદ્રોહીઓએ હુમલો કર્યો, જેમાં 7 સૈનિકો માર્યા ગયા હતા અને 21 ઇજાગ્રસ્ત થયા હતા. આ હુમલાની જવાબદારી લેતા, બલૂચ લિબરેશન આર્મી (BLA)એ 90 પાકિસ્તાની સૈનિકોના મોતનો દાવો કર્યો હતો.


BLA એ ટ્રેન હાઈજેક કરેલી

BLA એ ટ્રેન હાઈજેક કરેલી

અગાઉ 11 માર્ચે, ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસને BLA બળવાખોરો દ્વારા હાઇજેક કરવામાં આવી હતી. આ ટ્રેન બપોરે 1:30 વાગ્યે સિબ્બી પહોંચવાની હતી. પરંતુ હુમલો બોલાનના મશફાક ટનલમાં થયો હતો. આ હુમલો BLA દ્વારા સંપૂર્ણ આયોજન સાથે કરવામાં આવ્યો હતો. BLA લડવૈયાઓ પહેલેથી જ રાહ જોઈ રહ્યા હતા. હુમલા માટે, BLAએ પોતાના સૌથી ઘાતક લડવૈયાઓ માજીદ બ્રિગેડ અને ફતેહને તૈયાર કર્યા હતા.


શું છે BLA?

શું છે BLA?

બલૂચ લિબરેશન આર્મીની રચના 1970ના દાયકામાં થઈ હતી, પરંતુ વચ્ચે આ સંગઠન થોડા સમય માટે નિષ્ક્રિય થઈ ગયું હતું. વર્ષ 2000માં, તે ફરી એકવાર સક્રિય થયું. બલૂચિસ્તાનના ઘણા લોકોનું માનવું છે કે ભારત-પાકિસ્તાનના ભાગલા પછી, તેઓ એક સ્વતંત્ર દેશ તરીકે રહેવા માગતા હતા, પરંતુ તેમની સહમતી વિના તેમને પાકિસ્તાનમાં સામેલ કરી લેવામાં આવ્યા હતા. બલૂચ લિબરેશન આર્મી બલૂચિસ્તાન માટે સ્વતંત્રતા ઇચ્છે છે. એક અંદાજ મુજબ, BLAની વર્તમાન લશ્કરી તાકત 6000 લડવૈયાઓ હોવાનું કહેવાય છે. માજીદ બ્રિગેડ તેની એક ખાસ આત્મઘાતી ટુકડી છે, જેમાં 100થી વધુ સ્યૂસાઇડર એટેકર છે. તેમાં મહિલાઓની સંખ્યા પણ સારી એવી સારી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top