સેન્સર બોર્ડનો નિર્ણય- 13 બદલાવો સાથે રીલિઝ થશે કંગનાની ફિલ્મ ઇમરજન્સી, જાણો શું-શું ચેન્જિસ થશ

સેન્સર બોર્ડનો નિર્ણય- 13 બદલાવો સાથે રીલિઝ થશે કંગનાની ફિલ્મ ઇમરજન્સી, જાણો શું-શું ચેન્જિસ થશે

09/28/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

સેન્સર બોર્ડનો નિર્ણય- 13 બદલાવો સાથે રીલિઝ થશે કંગનાની ફિલ્મ ઇમરજન્સી, જાણો શું-શું ચેન્જિસ થશ

કંગના રનૌતની ફિલ્મ 'ઇમરજન્સી' 6 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રીલિઝ થવાની હતી, પરંતુ ફિલ્મ સેન્સર બોર્ડમાં અટકી ગઈ. જેના કારણે ફિલ્મ તેના નિર્ધારિત સમય પર રીલિઝ થઈ શકી નથી. હવે એવી માહિતી સામે આવી છે કે સેન્સર બોર્ડે આ ફિલ્મને U/A સર્ટિફિકેટ આપ્યું છે. જો કે હજુ સુધી રીલિઝનો રસ્તો સાફ થયો નથી.

સર્ટિફિકેટ આપવાની સાથે સેન્સર બોર્ડે મેકર્સને ફિલ્મમાં 13 જગ્યાએ ફેરફાર કરવા માટે કહ્યું છે. એકવાર ફિલ્મમાં ફેરફાર થઇ જાય, ત્યારબાદ જ આ ફિલ્મ રીલિઝ થશે. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે ઝી-સ્ટુડિયોએ કહ્યું છે કે કટ વિશે વિચારવા માટે થોડો સમય જોઈએ. ચાલો હવે જાણીએ કે ફિલ્મમાં કયા કયા ફેરફાર કરવા માટે કહેવામાં આવ્યું છે.


'ઇમરજન્સી'માં આ વસ્તુઓ બદલવી પડશે

'ઇમરજન્સી'માં આ વસ્તુઓ બદલવી પડશે

સૌથી પહેલા તો સેન્સર બોર્ડે ફિલ્મની શરૂઆતમાં એક ડિસ્ક્લેમર ઉમેરવાનું કહ્યું છે, જેમાં લખ્યું છે કે આ ફિલ્મ એક સત્ય ઘટનાથી પ્રેરિત છે. જે પણ ઘટના છે તેને નાટકીય રીતે રજૂ કરવામાં આવી છે. CBFC એવું ઇચ્છે છે કારણ કે તે સંપૂર્ણપણે સ્પષ્ટ હોવું જોઈએ કે ફિલ્મમાં જે પણ બતાવવામાં આવી રહ્યું છે તે પૂરી રીતે સાચું નથી.

શરુઆતમાં જ જવાહરલાલ નેહરુનું એક સીન છે, જેમાં તેઓ એવું કહેતા બતાવવામાં આવ્યા છે કે ચીને આસામને ભારતથી અલગ કરી દીધું છે. જો કે, બોર્ડે ફિલ્મમાં આ ડાયલોગ ક્યાંથી સામેલ કરવામાં આવ્યો તે સ્ત્રોત માંગ્યો છે. કારણ કે બોર્ડમાં જે ઈતિહાસકારો બેઠા હતા, તેમને એવી ઘટના અંગે કોઈ જાણકારી નથી.

બોર્ડે સંજય ગાંધીના પાત્રના એક ડાયલોગ પર પણ વાંધો ઉઠાવ્યો છે, કારણ કે તે ડાયલોગ પરથી એવું લાગે છે કે જાણે વોટ માટે ડીલ થઈ રહી છે. વાસ્તવમાં આ ડાયલોગમાં ભિંડરાવાલે સંજય ગાંધીને કહે છે - 'તમારી પાર્ટીને વોટ જોઈએ છે અને અમને ખાલિસ્તાન.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં એક સીન છે જેમાં એક સિખ કોઇ એવી વ્યક્તિને ગોળી મારી દે છે જે સિખ સમુદાયની નથી. સેન્સર બોર્ડે આ સીન ડીલિટ કરવા કહ્યું છે. તેમજ ફિલ્મમાં 2 મિનિટ 11 મિનિટે હિંસા થઈ રહી છે, તે હિંસા ઘટાડવા માટે કહેવામાં આવ્યું છે.

એક સીનમાં ઈન્દિરા ગાંધી અને આર્મી ચીફ વચ્ચે વાતચીત થઈ રહી છે. ત્યાં અર્જૂન દિવસનો ઉલ્લેખ થાય છે. એટલે કે સિખોના પાંચમા ગુરુ અર્જૂનની જન્મજયંતિ. બોર્ડે 'અર્જૂન ડે'નો ઉલ્લેખ દૂર કરવા કહ્યું છે. બોર્ડનું કહેવું છે કે સિખ સમુદાયમાં આવી કોઈ પરંપરા નથી.

CBFCએ એવું પણ સૂચન કર્યું છે કે જ્યાં પણ ફિલ્મમાં ઓરિજિનલ ફૂટેજનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ત્યાં સ્ટેટિક મેસેજ આપવામાં આવે. એટલે કે તે મેસેજમાં કોઈ હલચલ ન હોવી જોઈએ

ફિલ્મમાં જે પણ મહત્વની બાબતો છે, પછી તે કોઈપણ ડેટા હોય, કોઈનું નિવેદન હોય કે ક્યાંકથી લેવામાં આવેલ કોઈ સંદર્ભ હોય, પછી તે બધી વસ્તુઓના સ્ત્રોતનો ઉલ્લેખ કરવો જોઈએ કે તે વસ્તુઓ ક્યાંથી લેવામાં આવી છે.

ફિલ્મમાં આવા ત્રણ સીન છે, જ્યાં ભિંડરાવાલેનું પાત્ર ફ્રેમમાં નથી, પરંતુ તેમના નામનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. બોર્ડે નિર્માતાઓને ભિંડરાવાલેનું નામ હટાવવા માટે કહ્યું છે. ઉપર જણાવ્યા મુજબ, ફિલ્મમાં 13 ફેરફારો સૂચવવામાં આવ્યા છે. જો કે, 13માંથી 4 ફેરફારોની માહિતી આવવાની બાકી છે. અત્યાર સુધીમાં આ માહિતી સામે આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top