યૂનુસે શેખ હસીનાનો નિર્ણય બદલ્યો, બાંગ્લાદેશે પોતાના નાગરિકોના પાસપોર્ટ પર લખાવ્યું- ‘ઇઝરાયલ છો

યૂનુસે શેખ હસીનાનો નિર્ણય બદલ્યો, બાંગ્લાદેશે પોતાના નાગરિકોના પાસપોર્ટ પર લખાવ્યું- ‘ઇઝરાયલ છોડીને...’

04/14/2025 World

SidhiKhabar

SidhiKhabar

યૂનુસે શેખ હસીનાનો નિર્ણય બદલ્યો, બાંગ્લાદેશે પોતાના નાગરિકોના પાસપોર્ટ પર લખાવ્યું- ‘ઇઝરાયલ છો

બાંગ્લાદેશના રસ્તાઓ પર ઇઝરાયલ વિરુદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. શનિવારે, ગાઝાના સમર્થનમાં થયેલી રેલીમાં 10 લાખથી વધુ બાંગ્લાદેશીઓએ ભાગ લીધો હતો. આ લોકોએ ઇઝરાયલ સાથે સંકળાયેલા ઉત્પાદનો અને સંસ્થાઓનો બહિષ્કાર કરવાની પ્રતિજ્ઞા લીધી. ઢાકામાં થયેલી 'માર્ચ ફોર ગાઝા'મા રેલીમાં 10 લાખ લોકો સુહરાવર્દી પાર્કમાં બાંગ્લાદેશ અને પેલેસ્ટિનિયન ધ્વજ લહેરાવી રહ્યા હતા અને ‘ફ્રી પેલેસ્ટાઇન’, ‘ઇઝરાયલી કબજાને બંધ કરો’ અને ઇઝરાયલી ઉત્પાદનોનો બહિષ્કાર કરો જેવા નારા લગાવી રહ્યા હતા.

આ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને, બાંગ્લાદેશ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. લોકોના ગુસ્સા સામે ઝૂકતા, યૂનુસ સરકારે હવે પોતાના નાગરિકોના આપવામાં આવતા પાસપોર્ટમાં એક ખાસ લાઈન લખી છે. આપવામાં આવતા નવા પાસપોર્ટમાં લખ્યું છે કે- ‘THIS PASSPORT IS VALID FOR ALL COUNTRIES OF THE WORLD EXCEPT ISRAEL.’ એટલે કે આ પાસપોર્ટ ઇઝરાયલ સિવાય વિશ્વના તમામ દેશો માટે માન્ય છે.


બાંગ્લાદેશના નાગરિક ઇઝરાયલની મુસાફરી નહીં કરી શકે

બાંગ્લાદેશના નાગરિક ઇઝરાયલની મુસાફરી નહીં કરી શકે

ઢાકાના અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશે ગાઝા પટ્ટી પર ઇઝરાયલી હુમલાઓ સામે વધતા જતા જાહેર જનાક્રોશને ધ્યાનમાં લઇને પોતાના નાગરિકોને યહૂદી દેશમાં મુસાફરી કરતા અટકાવવા માટે પાસપોર્ટ પર ઇઝરાયલ છોડીને લખવાનું પુનઃ શરૂ કરી દીધું છે. તેનો અર્થ છે કે હવે બાંગ્લાદેશના નાગરિક ઇઝરાયલની મુસાફરી નહીં કરી શકે.

પાસપોર્ટ એક એવો દસ્તાવેજ છે, જેની મદદથી કોઈ દેશનો નાગરિક કાયદેસર રીતે બીજા દેશમાં મુસાફરી કરી શકે છે. એવું કહી શકાય કે પાસપોર્ટ દ્વારા કોઈ દેશ પોતાના નાગરિકોને બીજા દેશમાં મુસાફરી કરવાની મંજૂરી આપે છે. થોડા દિવસો અગાઉ બાંગ્લાદેશમાં ઇઝરાયલ વિરુદ્ધ પ્રદર્શન થયું હતું. આ દરમિયાન, પ્રદર્શનકારીઓએ KFC, બાટા, ડોમિનોઝના આઉટલેટ્સ લૂંટી લીધા હતા.


યૂનુસ સરકારે હસીનાના નિર્ણયને બદલ્યો

યૂનુસ સરકારે હસીનાના નિર્ણયને બદલ્યો

જૂના બાંગ્લાદેશી પાસપોર્ટમાં એક વાક્ય લખેલું રહેતું હતું કે, આ પાસપોર્ટ ઇઝરાયલ સિવાય વિશ્વના તમામ દેશો માટે માન્ય છે. તેને 2021માં હકાલપટ્ટી કરાયેલા વડાપ્રધાન શેખ હસીના સરકારે દૂર કરી દીધું હતું. તે સમયે, અધિકારીઓએ કહ્યું હતું કે, તેણે ઇઝરાયલ પ્રત્યેનું પોતાનું વલણ બદલ્યું નથી, પરંતુ દસ્તાવેજના આંતરરાષ્ટ્રીય ધોરણો જાળવવા માટે પાસપોર્ટમાંથી આ શબ્દસમૂહ દૂર કરી દીધો હતો. પ્રદર્શનકારીઓના વિરોધ બાદ, બાંગ્લાદેશ હવે નાના-નાના પગલાં ઉઠાવવા લાગ્યું છે.

સરકારી સમાચાર એજન્સી BSSના અહેવાલ મુજબ, ગૃહ મંત્રાલયે પાસપોર્ટ અને ઇમિગ્રેશન વિભાગને વિદેશ પ્રવાસ કરતા નાગરિકોની સત્તાવાર મુસાફરી પરમિટમાં ‘આ પાસપોર્ટ ઇઝરાયલ સિવાય વિશ્વના તમામ દેશો માટે માન્ય છે વાક્યને ફરીથી સામેલ કરવા સૂચનાઓ આપી છે.


2021માં શેખ હસીને સરકારે આ વાક્ય દૂર કર્યું હતું

2021માં શેખ હસીને સરકારે આ વાક્ય દૂર કર્યું હતું

2021માં વડાપ્રધાન શેખ હસીના સરકારે "ઇઝરાયલ સિવાય બધા દેશો" વાક્યને દૂર કર્યું હતું. તે સમયે, અધિકારીઓએ કહ્યું હતું કે, દસ્તાવેજના આંતરરાષ્ટ્રીય ધોરણો જાળવવા માટે તેને પાસપોર્ટમાંથી દૂર કરવામાં આવ્યું હતું. ગૃહ મંત્રાલયના સુરક્ષા સેવા વિભાગના ઉપસચિવ નીલિમા અફરોઝે સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, અમે 7 એપ્રિલના રોજ નિર્દેશ જાહેર કર્યો હતો. જોકે, બીજા દિવસે આ વાત જાહેર થઈ, જ્યારે હજારો પ્રદર્શનકારીઓએ ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી કાર્યવાહીની નિંદા કરવા માટે રાજધાનીમાં હજારો પ્રદર્શનકારીઓએ રેલી કાઢી હતી, જેમાં સેકડો લોકોએ પેલેસ્ટિનિયન ધ્વજ હાથમાં લીધા હતા અને "ફ્રી, ફ્રી પેલેસ્ટાઇન" જેવા નારા લગાવ્યા હતા.

પેલેસ્ટાઇન સોલિડેરિટી મૂવમેન્ટ બાંગ્લાદેશ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજનેતાઓ, સેલિબ્રિટીઓ, કલાકાર, કવિઓ અને લોકપ્રિય સોશિયલ મીડિયા એન્ફ્લૂએન્સર્સ હાજર રહ્યા હતા, જેમણે દુનિયાના નેતાઓને ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને ઇઝરાયલ દ્વારા પેલેસ્ટિનિયન નાગરિકોની સામૂહિક હત્યા માટે જવાબદાર અન્ય લોકોને ન્યાયના કઠેડામાં લાવવા હાકલ કરી હતી.

17 કરોડની વસ્તી ધરાવતો મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ બાંગ્લાદેશનો ઇઝરાયલ સાથે કોઈ રાજદ્વારી સંબંધ નથી અને તે સત્તાવાર રીતે સ્વતંત્ર પેલેસ્ટાઇનને સમર્થન આપે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top