બેંક ગ્રાહકો માટે ખુશખબરી ! નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા મોટી જાહેરાત, હવે વારંવાર નહિ કરવી પડે આ માથાકૂટ
નેશનલ ડેસ્ક : સરકાર અને ભારતીય રિઝર્વ બેંક તરફથી બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓના ગ્રાહકો માટે નવી યોજનાઓ બનવવામાં આવતી હોય છે. સરકાર દ્વારા લેવામાં આવેલા આ પગલાંથી ગ્રાહકોને ઘણો ફાયદો થાય છે. હવે સરકાર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી આવનારા સમયમાં બેંકના ગ્રાહકો અને નાણાકીય સંસ્થાઓના ગ્રાહકોને રાહત મળશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે વિવિધ નાણાકીય સંસ્થાઓ વચ્ચે વ્યવહારોને સરળ બનાવવા માટે સમાન 'KYC' લાગુ કરવા માટે કામ ચાલી રહ્યું છે.
આ કામ નવા વર્ષમાં પૂર્ણ થવાની આશા છે. FICCI લીડ્ઝ સંમેલનને સંબોધતા, સીતારમણે કહ્યું કે વિવિધ નાણાકીય સંસ્થાઓમાં વ્યવહારો માટે એક જ KYCનો ઉપયોગ કરવાની સિસ્ટમ લાગુ કરવા માટે સતત પ્રયાસો ચાલુ છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય કલેક્ટર છે જે કેન્દ્રીય કેવાયસીનું ધ્યાન રાખે છે. હવે અમે આ દિશામાં કામ કરી રહ્યા છીએ કે એકવાર ગ્રાહક દ્વારા KYC કરાવ્યા પછી તેનો ઉપયોગ વિવિધ સંસ્થાઓમાં વ્યવહારો માટે કરી શકાય.
આ સિસ્ટમ લાગુ થયા પછી, તમારે વિવિધ સંસ્થાઓમાં વ્યવહારો માટે દર વખતે KYC આપવાની જરૂર રહેશે નહીં. નાણામંત્રીએ કહ્યું કે સરકાર અને નાણાકીય ક્ષેત્ર સાથે જોડાયેલા નિયમનકારોને એક મંચ પર લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેનાથી બિઝનેસ કરવાની સરળતા વધારવામાં મદદ મળશે. ગયા અઠવાડિયે નાણા નિર્દેશકો અને નાણા પ્રધાનની બેઠકમાં બેન્કિંગ, વીમા અને મૂડી બજારોમાં એકસમાન KYCના ઉપયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp