'આઈ લવ મુહમ્મદ' ના જવાબમાં 'આઈ લવ મહાદેવ'ના પોસ્ટર આવ્યા સામે, જાણો સમગ્ર વિવાદ
આ મહિનાની શરૂઆતમાં ઉત્તર પ્રદેશના કાનપુરમાં શરૂ થયેલા 'આઈ લવ મુહમ્મદ' પોસ્ટરોના વિવાદ બાદ હવે વારાણસીમાં, સંતોએ "આઈ લવ મોહમ્મદ" શોભાયાત્રાના જવાબમાં "આઈ લવ મહાદેવ" પોસ્ટર બહાર પાડ્યા છે. આ ઘટના ગુરુવારે વારાણસીના અસ્સી વિસ્તારમાં સુમેરુ પીઠ આશ્રમમાં બની હતી. હાથમાં પોસ્ટર પકડીને ડઝનબંધ સંતોએ શંખ ફૂંકી "હર હર મહાદેવ" ના નારા લગાવ્યા હતા.
"आई लव मोहम्मद" के जवाब में "आई लव महादेव"📍वाराणसी, यूपी pic.twitter.com/36Fyo7lmww — Sachin Gupta (@SachinGuptaUP) September 24, 2025
"आई लव मोहम्मद" के जवाब में "आई लव महादेव"📍वाराणसी, यूपी pic.twitter.com/36Fyo7lmww
સુમેરુ પીઠના વડાસ્વામી નરેન્દ્રાનંદે એક આકરુ નિવેદન બહાર પાડતા કહ્યું છે કે, ભારતને નેપાળ કે બાંગ્લાદેશ બનવા દેવામાં આવશે નહીં. તેમણે ચેતવણી આપી હતી કે, જે કોઈ અનાદર કરશે તેને મારવામાં આવશે. સ્વામી નરેન્દ્રાનંદે આરોપ લગાવ્યો હતો કે, વિદેશી ભંડોળથી, મૌલાના ઇરાદાપૂર્વક દેશને નબળા અને અસ્થિર બનાવવા માટે કાવતરાં રચી રહ્યા છે, જેનો સામનો કરવો જ જોઇએ. દેશને અસ્થિર કરવાના કથિત કાવતરાના જવાબમાં સંતોએ આ પોસ્ટર બહાર પાડ્યું છે. પોસ્ટર બહાર પાડ્યા પછી, સંતોએ તેને કાશીની શેરીઓ અને ચોકમાં પણ લગાવ્યું છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
This is the reality behind the #iLoveMuhammadﷺ campaign.First, they did it during Ram Navami processions. When the police arrested them, they attacked a police. And now, they’re spreading propaganda.That’s why they say, without lies, Islam dies.Repost this as much as you… pic.twitter.com/bLFMOQ5nOB — DoC Crocodile (@Doc_crok) September 22, 2025
This is the reality behind the #iLoveMuhammadﷺ campaign.First, they did it during Ram Navami processions. When the police arrested them, they attacked a police. And now, they’re spreading propaganda.That’s why they say, without lies, Islam dies.Repost this as much as you… pic.twitter.com/bLFMOQ5nOB
આ મુદ્દો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ઉત્તર પ્રદેશના કાનપુરમાં શરૂ થયેલી 'આઈ લવ મોહમ્મદ' શોભાયાત્રા ધીમે ધીમે દેશના અન્ય ભાગોમાં ફેલાઈ ગઈ. આ શોભાયાત્રાના વધતા પ્રભાવને જોઈને, કાશીના સંતોએ પ્રતિક્રિયા આપવાનું નક્કી કર્યું. તેમણે માત્ર પોસ્ટરો જ નહીં પરંતુ પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે વિવિધ સ્થળોએ તેને પ્રદર્શિત પણ કર્યા. નોંધપાત્ર રીતે, 'આઈ લવ મોહમ્મદ' અભિયાનના જવાબમાં, 'આઈ લવ મહાદેવ' અભિયાન હવે વારાણસી, કાનપુર અને ઉજ્જૈન સુધી ફેલાઈ ગયું છે. દરમિયાન, પોલીસનું કહેવું છે કે આવા અભિયાનો દ્વારા કરવામાં આવતી કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
4 સપ્ટેમ્બરના રોજ કાનપુરમાં બરાવફાત શોભાયાત્રા દરમિયાન આ વિવાદ શરૂ થયો હતો. યુવાનોના જૂથોએ લીલા ઝંડા અને "આઈ લવ મુહમ્મદ" લખેલા પોસ્ટરો સાથે કૂચ કરી હતી. સ્થાનિકોના મતે, આ કૃત્ય સંપૂર્ણપણે ભક્તિમય હતું. જો કે, કેટલાક હિન્દુ જૂથોએ વાંધો ઉઠાવ્યો હતો, અને દલીલ કરી હતી કે આ એક "નવી પરંપરા" છે જે બરાવફાત ઉજવણી સાથે સંકળાયેલ નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp