શું સૂર્યકુમાર યાદવ ઇજાગ્રસ્ત છે? લંડનમાં ડૉક્ટરોની સલાહ બાદ થઈ શકે છે સર્જરી
Suryakumar Yadav in England for sports hernia treatment may go under the knife: ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ, જે લાંબા સમયથી સ્પોર્ટ્સ હર્નિયાથી ઝઝૂમી રહ્યો હતો. હવે તે તેની સારવાર માટે ઇંગ્લેન્ડ રવાના થઈ ગયો છે. સ્પોર્ટ્સ હર્નિયા સંબંધિત ઇજાની સારવાર માટે સૂર્યકુમાર યાદવ ઇંગ્લેન્ડમાં ઉપસ્થિત તેના નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેશે અને જો જરૂરી હોય તો, તે તેની સર્જરી કરાવવાનો નિર્ણય પણ લઈ શકે છે. સૂર્યકુમાર યાદવે IPL 2025 સીઝનમાં બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં તે 700 થી વધુ રન બનાવવામાં સફળ રહ્યા હતા. IPL સમાપ્ત થયા બાદ તરત જ સૂર્યકુમાર યાદવ મુંબઈ T20 લીગમાં પણ રમ્યો હતો.
સૂર્યકુમાર યાદવ છેલ્લા 3 મહિનાથી સ્પોર્ટ્સ હર્નિયાની સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે, જેમાં IPLમાં સતત મુસાફરીને કારણે તેનો દુઃખાવો ખૂબ વધી ગયો હતો. સૂર્યાના એક નજીકનાએ સમાચાર એજન્સી PTIને જણાવ્યું હતું કે સૂર્યકુમાર યાદવ પેટની નીચેના ભાગમાં જમણી બાજુ સ્પોર્ટ્સ હર્નિયાથી પીડિત છે. તે સલાહ માટે ઇંગ્લેન્ડ ગયો છે. જો જરૂરી હોય તો, તે સર્જરી કરાવશે. સૂર્યાની ઈજા અંગે BCCIના સૂત્રએ PTIને આપેલા પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતીય ટીમે આગામી 2 મહિના સુધી કોઈ T20 મેચ કે શ્રેણી રમવાની નથી. એવામાં, સૂર્યકુમાર યાદવ પાસે આ સારો સમય છે જ્યારે તે પોતાની ઈજાની સારવાર કરાવી શકે છે અને તેને બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સમાં તેમાંથી સ્વસ્થ થવા અને સંપૂર્ણ ફિટ થવા માટે પૂરતો સમય પણ મળી જશે.
ભારતીય ટીમ શુભમન ગિલની કેપ્ટનશીપમાં 5 મેચની ટેસ્ટ શ્રેણી રમવા માટે ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે. તો, ભારતીય ટીમનો આ પ્રવાસ 4 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. ત્યારબાદ, તેમને લિમિટેડ ઓવરની શ્રેણી રમવા માટે બાંગ્લાદેશના પ્રવાસ પર જવાનું છે જ્યાં પહેલા 3 વન-ડે અને પછી 3 T20 મેચની શ્રેણી રમાશે. વન-ડે શ્રેણીની મેચ 17, 20 અને 23 ઓગસ્ટના રોજ રમાશે, જ્યારે T20 શ્રેણીની મેચ 26, 29 અને 31 ઓગસ્ટના રોજ રમાશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp