અમદાવાદ પ્લેન ક્રેશ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો માટે ટાટા ગ્રુપે આર્થિક સહાયની કરી જાહેરાત

અમદાવાદ પ્લેન ક્રેશ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો માટે ટાટા ગ્રુપે આર્થિક સહાયની કરી જાહેરાત

06/13/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

અમદાવાદ પ્લેન ક્રેશ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો માટે ટાટા ગ્રુપે આર્થિક સહાયની કરી જાહેરાત

અમદાવાદમાં એર ઇન્ડિયા ફ્લાઇટ 171ના ભયાનક અકસ્માત બાદ દેશભરમાં શોકની લહેર છે. આ અકસ્માતમાં 241 લોકોના મોત થઈ ગયા. આ દુઃખદ સમયમાં, ટાટા ગ્રુપે સંવેદનશીલ અને માનવ પહેલ કરીને પીડિતોના પરિવારોને મદદ કરવા માટે મોટી જાહેરાત કરી છે. ટાટા સન્સના અધ્યક્ષ એન. ચંદ્રશેખરને એક સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું કે, આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને ટાટા ગ્રુપ 1 કરોડની સહાય આપશે.


ટાટા સન્સના અધ્યક્ષ એન. ચંદ્રશેખરનનું નિવેદન

ટાટા સન્સના અધ્યક્ષ એન. ચંદ્રશેખરનનું નિવેદન

તેમણે કહ્યું કે, ‘અમે એર ઇન્ડિયા ફ્લાઇટ 171 સાથે જોડાયેલી દુઃખદ ઘટનાથી અમે ખૂબ દુઃખી છીએ. આ ક્ષણની પીડા શબ્દોમાં વ્યક્ત કરવી અશક્ય છે. અમારી સંવેદના તે પરિવારો સાથે છે જેમણે તેમના પ્રિયજનો ગુમાવ્યા છે અને એ લોકો સાથે પણ જેઓ ઇજાગ્રસ્ત થયા છે.’ નિવેદનમાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ટાટા ગ્રુપ ઇજાગ્રસ્ત લોકોનો સંપૂર્ણ તબીબી ખર્ચ વાહન કરશે અને તેમની દરેક જરૂરી દેખરેખ અને સમર્થન આપવામાં આવશે. આ સિવાય અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત બી.જે. મેડિકલ કૉલેજના ડૉક્ટર હોસ્ટેલના પુનર્નિર્માણમાં પણ મદદ કરશે.

એન. ચંદ્રશેખરને કહ્યું કે, ટાટા ગ્રુપના આ અસાધારણ સંકટના સમયમાં પરિવારો અને સમુદાયો સાથે મજબૂતીથી ઊભું છે. તેમણે ખાતરી આપી કે તમામ જરૂરિયાતમંદોને જરૂરી સહાય આપવામાં આવશે અને પીડિતોને એકલા છોડવામાં નહીં આવે.


ટેકઓફ દરમિયાન અકસ્માત થયો

ટેકઓફ દરમિયાન અકસ્માત થયો

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ગુરુવારે બપોરે એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઇ હતી. લંડન જતી એર ઇન્ડિયા ફ્લાઇટ અચાનક AI -171 ટેકઓફની થોડી મિનિટો બાદ નજીકની મેડિકલ કોલેજ બિલ્ડિંગ સાથે ટકરાઈ ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, વિમાન ખૂબ જ નીચું ઉડતું હતું અને 5 માલની ઇમારતોને સાથે ટકરાયું, જેથી તે ઇમારતોમાં આગ લાગી હતી. અકસ્માતને કારણે નજીકની ઘણી ઇમારતોને ભારે નુકસાન થયું છે અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે, જોકે હજી સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

આ બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનમાં ક્રૂ સભ્યો સહિત કુલ 242 લોકો હતા. અકસ્માત બપોરે 2:00 વાગ્યાની આસપાસ થયો હતો. આ ઘટનામાં ઘણા લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top