Toll Tax : હવે આ લોકોને ટોલ ટેક્સ નહીં ભરવો પડે, નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત; જાણો શું કહ્યું?
નેશનલ ડેસ્ક : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સને લઈને મોટી જાણકારી આપી છે. જો આપ ભારે ભરખમ ટોલ ટેક્સથી પરેશાન છો, તો આપને જણાવી દઈએ કે, દેશમાં કેટલાય લોકોને ટેક્સ આપવો પડતો નથી. તેને લઈને સરકાર તરફથી ગાઈડલાઈન જાહેર કરીને બતાવામાં આવ્યું છે. સરકારે જણાવ્યું છે કે, નવા નિયમો અંતર્ગત ટોલ ટેક્સમાં છૂટનો ફાયદો મળશે. જેની આખી યાદી હાલમાં સામે આવી છે.
આ લોકને નહીં ભરવો પડે ટેક્સ
ટોલ ટેક્સને NHAI તરફથી વસૂલવામાં આવે છે. જો આપ હાઈવે પર ફોર વ્હીલ લઈને મુસાફરી કરો છો, તો આપને આ ટેક્સ આપવાનો હોય છે. તો વળી જો આપ ટુ વ્હીલર વાહનથી મુસાફરી કરો છો, તો આપને ટોલ ટેક્સ આપવો પડશે નહીં. ટુ વ્હીલર વાહન ખરીદતી વખતે ગ્રાહકો પાસેથી રોડ ટેક્સ લેવામાં આવે છે. હાલમા ટોલ ટેક્સની રકમ વાહનની લંબાઈ પર નિર્ભર કરે છે.
ઉપર આપવામાં આવેલી યાદી ઉપરાંત અર્ધસૈનિક દળ અને પોલીસ સહિત વર્દીમાં કેન્દ્રીય અને રાજ્ય સશસ્ત્ર ફોર્સ, ફાયર વિભાગ અથવા સંગઠનના એક કાર્યકારી મજિસ્ટ્રેટ, નેશનલ હાઈવેના નિરીક્ષણ, સર્વેક્ષણ, નિર્માણ અથવા સંચાલન, શબ વાહન, રક્ષા મંત્રાલ અને દિવ્યાંગ માટે બનાવામાં આવેલા મેકેનિકલ વાહનોને પણ ટેક્સ આપવો પડશે નહીં.
જર્નીના હિસાબથી ભરવાનો હોય છે ટેક્સ
સિંગલ જર્ની માટે ટોલ ની કિંમત અલગ હોય છે. તો વળી આપની પાસે રિટર્ન ટોલ ટેક્સ લેવાનું પણ ઓપ્શન હોય છે. આ ઉપરાંત દરરોજ હાઈવે પર મુસાફરી કરનારા લોકો પાસે સુવિધાનો પણ ફાયદો લઈ શકો છો.
SMS દ્વારા પણ આપ ટોક્સનું લિસ્ટ ચેક કરી શકશો. તેના માટે આપે આપના ફોનમાંથી TIS < Toll Plaza ID ટાઈપ કરીને 56070 નંબર પર મેસેજ કરવાનો રહેશે. SMS કરતા જ ટોલ ટેક્સ રેટની યાદી આપના ફોનમાં આવી જશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp