‘રોજ 3000 લોકોને..’ ટ્રમ્પના અધિકારીએ આપ્યો અજીબોગરીબ આદેશ; આખરે શું છે કારણ

‘રોજ 3000 લોકોને..’ ટ્રમ્પના અધિકારીએ આપ્યો અજીબોગરીબ આદેશ; આખરે શું છે કારણ

05/29/2025 World

SidhiKhabar

SidhiKhabar

‘રોજ 3000 લોકોને..’ ટ્રમ્પના અધિકારીએ આપ્યો અજીબોગરીબ આદેશ; આખરે શું છે કારણ

અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ ગ્રહણ કરતાની સાથે જ દેશમાં રહેતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પકડવાનો અને દેશનિકાલ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ અમેરિકામાં દસ્તાવેજો વિના ગેરકાયદેસર રીતે સરહદ પાર કરનારા લોકોની મોટી સંખ્યામાં સામે ધરપકડ અભિયાન ચલાવવામાં આવ્યું. તેમાંથી ઘણાને તેમના દેશમાં પણ મોકલી દેવામાં આવ્યા. તો, હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તાજેતરની બેઠકમાં, ઇમિગ્રેશન અને કસ્ટમ એન્ફોર્સમેન્ટ અધિકારીઓને દરરોજ 3000 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.


3 ગણો વધ્યો ટારગેટ

3 ગણો વધ્યો ટારગેટ

અમેરિકન ન્યૂઝ વેબસાઇટ એક્સિયોસે એક અહેવાલમાં દાવો કર્યો છે કે ટ્રમ્પના નજીકના સહાયક સ્ટીફન મિલર અને હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે બેઠકમાં ધરપકડની સંખ્યા વધારીને 3000 પ્રતિ દિવસ કરવા કહ્યું. આ સંખ્યા અધિકારીઓને આપવામાં આવેલા અગાઉના લક્ષ્ય કરતા લગભગ ત્રણ ગણી છે. મિલર વ્હાઇટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ છે. વેબસાઇટ અનુસાર, મિલરે ફિલ્ડ ઓફિસ ડિરેક્ટર અને સ્પેશિયલ એજન્ટ ઇન ચાર્જને દેશનિકાલની સંખ્યા વધારવા કહ્યું છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે બેઠક બાદ, અધિકારીઓને ડર છે કે જો તેઓ લક્ષ્ય પૂર્ણ નહીં કરે તો તેમની નોકરી જઇ શકે છે.


અમેરિકાની સીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો

અમેરિકાની સીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો

એક આંકડા મુજબ, અમેરિકાની સીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા એબીગેઇલ જેક્સને જણાવ્યું હતું કે ટ્રમ્પ દ્વારા વચન મુજબ વહીવટીતંત્ર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવા માટે ગંભીર છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top