યશવંત સિન્હા બનશે રાષ્ટ્રપતિ પદના વિપક્ષી ઉમેદવાર, જાણો અત્યાસુધીનો તેમનો રાજકીય પ્રવાસ
નેશનલ ડેસ્ક : રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે ચર્ચા કરવા માટે આજે વિરોધ પક્ષોની બેઠક મળી હતી. બેઠક બાદ વિપક્ષે પોતાના ઉમેદવાર તરીકે યશવંત સિન્હાના નામની જાહેરાત કરી હતી. જયરામ રમેશ, સુધીન્દ્ર કુલકર્ણી, દિપાંકર ભટ્ટાચાર્ય, શરદ પવાર, ડી રાજા, તિરુચી શિવા (ડીએમકે), પ્રફુલ પટેલ, યેચુરી, એનકે પ્રેમચંદ્રન (આરએસપી), મનોજ ઝા, મલ્લિકાર્જુન ખડગે, રણદીપ સુરજેવાલા, હસનૈન મસુફર (રાષ્ટ્રીય) અને રામ ગોપાલ યાદવ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
આ બેઠકમાં ઓવૈસીની પાર્ટીના સાંસદ ઈમ્તિયાઝ જલીલ પણ હાજર હતા. AIMIM નેતાને છેલ્લી બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. સાંસદ ઈમ્તિયાઝ જલીલે કહ્યું કે તેમને છેલ્લી વખત બોલાવવામાં આવ્યા ન હતા તેથી તેઓ હાજર રહ્યા ન હતા.
બીજી તરફ મીટીંગમાં જોડાતા પહેલા યશવંતે ટ્વીટ કરીને કહ્યું હતું કે મને આ સન્માન અને પ્રતિષ્ઠા આપવા બદલ હું મુખ્યમંત્રી મમતા બેનર્જીનો આભાર માનું છું. તેમણે ઉમેર્યું, "સમય આવી ગયો છે જ્યારે આપણે પાર્ટી કરતા મોટા હેતુ માટે કામ કરવું પડશે."
યશવંત સિન્હા એક ભારતીય રાજકારણી અને ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ વરિષ્ઠ નેતા હતા જેઓ હાલમાં બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના નેતા છે. તેમણે આજે સવારે તૃણમૂલ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.
યશવંત સિન્હા 1960માં ભારતીય વહીવટી સેવામાં જોડાયા હતા અને તેમના કાર્યકાળ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ હોદ્દા પર રહીને સેવામાં 24 વર્ષથી વધુ સમય પસાર કર્યો હતો. 4 વર્ષ સુધી તેમણે સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે પણ સેવા આપી છે. બિહાર સરકારના નાણા મંત્રાલયમાં અન્ડર સેક્રેટરી અને ડેપ્યુટી સેક્રેટરી તરીકે સેવા આપ્યા બાદ તેમણે ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયમાં નાયબ સચિવ તરીકે સેવા આપી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp