હવે મને લાગે છે કે.. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ BJPના મુસ્લિમ નેતા શાહનવાજ હુસેનનું મોટું નિવેદન
અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિના રૂપમાં સામેલ થયા. પ્રાણ પ્રતિષ્ઠાના અનુષ્ઠાન દરમિયાન ગર્ભગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, RSS પ્રમુખ મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બધા યજમાન ઉપસ્થિત રહ્યા. તો હવે ભાજપ નેતા શાહનવાજ હુસેને (Shahnawaz Hussain) મોટી વાત કહી છે.
ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા શાહનવાજ હુસેને કહ્યું કે, હવે મને લાગે છે કે દેશમાં કોઈ વિવાદ નહીં રહે. બધા લોકો એક સાથે ખુશીથી રહેશે. ભગવાન રામ બધાના છે.'
#WATCH | BJP leader Shahnawaz Hussain says, "Now, I feel there will be no dispute in the country. Everybody will live happily together. Lord Ram belongs to everybody." pic.twitter.com/rz1EzYbBlw — ANI (@ANI) January 22, 2024
#WATCH | BJP leader Shahnawaz Hussain says, "Now, I feel there will be no dispute in the country. Everybody will live happily together. Lord Ram belongs to everybody." pic.twitter.com/rz1EzYbBlw
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થયેલા અખિલ ભારતીય ઈમામ સંગઠનના મુખ્ય ઈમામ ડૉ. ઈમામ ઉમેર અહમદ ઇલિયાસીએ કહ્યું કે, 'આ નવા ભારતનો ચહેરો છે. આપણો સૌથી મોટો ધર્મ માનવતા છે. અમારા માટે રાષ્ટ્ર પહેલું છે.'
#WATCH | "This is the face of new India. Our biggest religion is humanity. For us, the nation is first," says Dr. Imam Umer Ahmed Ilyasi, Chief Imam, All India Imam Organization at Ayodhya Ram Temple 'Pran Pratishtha' ceremony. pic.twitter.com/IRYRW5YgAu — ANI (@ANI) January 22, 2024
#WATCH | "This is the face of new India. Our biggest religion is humanity. For us, the nation is first," says Dr. Imam Umer Ahmed Ilyasi, Chief Imam, All India Imam Organization at Ayodhya Ram Temple 'Pran Pratishtha' ceremony. pic.twitter.com/IRYRW5YgAu
તો LJP પ્રમુખ ચિરાગ પાસવાન પણ ભવ્ય સમારોહના સાક્ષી બન્યા. તેમણે પોતાના X હેન્ડલ પર શુભેચ્છા આપતા લખ્યું કે, અયોધ્યાધામમાં શ્રી રામલલા સરકારની વિગ્રહ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા પર દેશવાસીઓને હાર્દિક શુભેછા. પોતાના પૂર્વજોના 500 વર્ષની તપસ્યાના પરિણામ સ્વરૂપ આ ઐતિહાસિક સંસ્કૃતિ ઉત્સવના સાક્ષી બનવાનું મારા માટે સૌભાગ્યનો વિષય છે. આજે અયોધ્યાધામ આવીને અભિભૂત અને ગૌરવાન્વિત અનુભવી રહ્યો છું.
पावन रामनगरी अयोध्या धाम में श्री रामलला सरकार की विग्रह मूर्ति की प्राण प्रतिष्ठा होने पर देशवासियों को हार्दिक बधाई एवं शुभकामनाएं।अपने पूर्वजों के पांच सौ वर्षों की तपस्या के परिणामस्वरूप इस ऐतिहासिक संस्कृति उत्सव का साक्षी बनना मेरे लिए सौभाग्य की विषय है। आज अयोध्या धाम… pic.twitter.com/HHb8pOv9aY — युवा बिहारी चिराग पासवान (@iChiragPaswan) January 22, 2024
पावन रामनगरी अयोध्या धाम में श्री रामलला सरकार की विग्रह मूर्ति की प्राण प्रतिष्ठा होने पर देशवासियों को हार्दिक बधाई एवं शुभकामनाएं।अपने पूर्वजों के पांच सौ वर्षों की तपस्या के परिणामस्वरूप इस ऐतिहासिक संस्कृति उत्सव का साक्षी बनना मेरे लिए सौभाग्य की विषय है। आज अयोध्या धाम… pic.twitter.com/HHb8pOv9aY
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp