BJP Strategy : હવે આ રાજ્યમાં નવાજૂની કરશે BJP! 'ગુજરાત ફૉર્મ્યુલા'ના આધારે જાણો શું ફેરબદલ કરવાની તૈયારી
નેશનલ ડેસ્ક : શું વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત ફોર્મ્યુલા મધ્યપ્રદેશમાં લાગુ થવાની સંભાવના સેવાઈ રહી છે. મળતી માહિતી મુજબ સત્તા, સંગઠન અને ઈંટેલીજન્સનાં સર્વેથી ભાજપનાં માથે ખૂબ મોટી પરેશાની દેખાઈ રહી છે. હવે આવનાર વિધાનસભાની ચૂંટણીમાં મધ્યપ્રદેશમાં 18 વર્ષની એન્ટી ઈનકમબન્સીથી મોટું નુકશાન થઈ શકે છે.
એવામાં એક જ રસ્તો છે કે સરકારને મિશન 2023 માં ગ્વાલિયર-ચંબલ, બુંદેલખંડ અને બીજેપી માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. જ્યોતિરાદિત્ય સિંધિયા, નરેન્દ્રસીંગ તોમર, ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા અને ભાજપના મધ્યપ્રદેશનાં પ્રમુખ વીડી શર્માંનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ સર્વે રિપોર્ટસને ધ્યાનમાં રાખીને પાર્ટીએ રણનીતિકાર મધ્ય પ્રદેશમાં મોટા ફેરફાર પર વિચાર કરી શકે છે. જેમાં ઘણા મંત્રીયો, વિધાયકોની ટિકિટ પર કાતર ફરી શકે છે.
ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે મધ્યપ્રદેશ નહી પણ સમગ્રે દેશમાં ફોર્મ્યુલા લાગુ થશે. આ દેશમાં ગુજરાત એક આઈડીયલ સ્ટેટ થઈ ગયું છે, દર 5 વર્ષોમાં બીજેપી માટે ટકાવારી વધી છે. બીજેપી વિધાયક નારાયણ ત્રિપાઠી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનું પત્ર લખે છે. મધ્ય પ્રદેશના ગૃહમંત્રી ડૉ. નરોત્તમ મિશ્રા કહે છે કે દરેક રાજ્યમાં સ્થિતિ અલગ છે.
દેશના સૌથી લાંબા સમય સુધી ભાજપના મુખ્યમંત્રી રહેલા શિવરાજ સિંહ ચૌહાણ એક શક્તિશાળી ઓબીસી નેતા છે આવી સ્થિતિમાં તેમને બદલવા માટે પાર્ટીમાં કોઈ ઉતાવળ નથી અને પાર્ટીના ટોચના નેતાઓમાં કોઈ સહમતિ નથી. ભાજપ પ્રમુખ જેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ ફેબ્રુઆરીમાં પૂરો થઈ રહ્યો છે.
સંગઠનની સાથે સરકારમાં પણ ફેરફાર થશે, જેમાં ઘણા યુવા ચહેરાઓ, ખાસ કરીને વિંધ્યના નેતાઓને પ્રાધાન્ય મળશે. કેબિનેટમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ધારાસભ્યોને સામેલ કરવામાં આવશે, જેથી જાતિ, ઉંમર અને પ્રદેશને સરળ બનાવી શકાય. હાલમાં રાજ્યમાં 30 મંત્રીઓ છે, જેમાંથી 10 ક્ષત્રિય, 8 OBC, 3 SC, 4 ST, 2 બ્રાહ્મણ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે- તાજેતરના સર્વેના આધારે હાલના 127માંથી 60-70 ધારાસભ્યોની ટિકિટ કપાઈ શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp