'પ્રધાનમંત્રી બનવા માટે દાઉદ ઈબ્રાહિમ સાથે પણ હાથ મિલાવી શકે છે નીતીશ કુમાર'- ભાજપના સાંસદનો નીતીશ કુમારને ટોણો
નેશનલ ડેસ્ક : બિહારના સાસારામથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ છેદી પાસવાને દાવો કર્યો હતો કે મુખ્યમંત્રી અને જનતા દળ (યુનાઈટેડ)ના નેતા નીતીશ કુમાર વડાપ્રધાન પદ માટે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે પણ હાથ મિલાવી શકે છે. નીતીશ કુમારે બીજેપી સાથે ગઠબંધન તોડીને મહાગઠબંધનમાં સામેલ થઈને બિહારમાં સરકાર બનાવી ત્યાર બાદ પાસવાનનું આ નિવેદન આવ્યું છે.
નીતિશ કુમારને ખૂબ જ "મહત્વાકાંક્ષી અને અવિશ્વસનીય વ્યક્તિ" ગણાવતા છેડી પાસવાને કહ્યું, "નીતીશ કુમાર PM બનવા માટે દાઉદ ઈબ્રાહિમ સાથે હાથ મિલાવી શકે છે, પરંતુ નીતીશની વિડંબના એ છે કે તેઓ વડાપ્રધાન બની શકતા નથી."
નીતીશ કુમારના ડેપ્યુટી સીએમ રહી ચૂકેલા બીજેપી નેતા તારકિશોર પ્રસાદે સીએમ નીતિશ કુમારને પૂછ્યું કે તેઓ ભ્રષ્ટાચારના મામલામાં મૌન કેમ છે? બિહારના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમએ કહ્યું, "તેમણે ભાજપ પર JD(U)ને તોડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો, પરંતુ ભ્રષ્ટાચારના મુદ્દે તેઓ મૌન રહ્યા જાણે લાલુ પ્રસાદ યાદવના પરિવારનો સફાયો થઈ ગયો હોય." તેમણે કહ્યું કે નીતીશ કુમારે બિહારના જનાદેશનું અપમાન કર્યું છે. 2017માં તેમણે ભ્રષ્ટાચારના આરોપમાં આરજેડી સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું.
આ દરમિયાન ભાજપના નેતા સંજીવ ચૌરસરિયાએ કહ્યું છે કે, 'નીતીશ કુમાર, તમે કોના ચહેરા પર વિધાનસભા ચૂંટણી જીતી? લોકો તમારા વચનો જાણે છે. લોકો તમને પાઠ ભણાવશે. તમારી ઈચ્છાઓ પૂર્ણ નહીં થાય. અમે જે પણ વિકાસની વાત કરતા હતા અને કામ કરતા હતા, અમે તે કરતા રહીશું.
તમને જણાવી દઈએ કે જનતા દળ (યુનાઈટેડ) એ બીજેપી સાથે નાતો તોડી નાખ્યો અને બિહારમાં સરકાર બનાવવા માટે આરજેડી, કોંગ્રેસ અને અન્ય પ્રાદેશિક પક્ષો સાથે હાથ મિલાવ્યા. બુધવારે નીતિશ કુમારે મુખ્યમંત્રી તરીકે અને આરજેડીના તેજસ્વી યાદવે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp