પાકિસ્તાનના આર્મી ચીફ અને PM શાહબાઝ શરીફ ઈમરાન ખાનના શરણે, શું બનાવી રહ્યા છે પ્લાન?
પાકિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ રાજકીય સમીકરણોમાં નાટકીય પરિવર્તન તરફ ઈશારો કરી રહી છે. પહેલગામ આતંકવાદી હુમલા અને સંભવિત લશ્કરી પ્રતિક્રિયા બાદ ભારત સાથે વધતા તણાવ વચ્ચે, પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીર અને વડાપ્રધાન શાહબાઝ શરીફે જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન પાસેથી મદદ માગી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, 4 ભૂતપૂર્વ લશ્કરી અધિકારીઓને ઇમરાન ખાન પાસે મોકલવામાં આવ્યા છે જેથી તેઓ PTIને અસીમ મુનીર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો રોકવા અને સિંધમાં પ્રદર્શનો રોકવા માટે રાજી કરી શકે. 2019માં પુલવામા હુમલા બાદ, તત્કાલીન વડાપ્રધાન ઇમરાન ખાને ISI ચીફ અસીમ મુનીરને તેમના કાર્યકાળના અંત પહેલા જ હટાવી દીધા હતા. ISIના ઇતિહાસમાં આવું પહેલી વાર બન્યું હતું. ત્યારબાદ, આસીમ મુનીર અને ઇમરાન ખાન વચ્ચેના સંબંધો ખૂબ જ તણાવપૂર્ણ થઈ ગયા હતા. એવું માનવામાં આવે છે કે આ દુશ્મનાવટને કારણે જ આસીમ મુનીરે ઇમરાનને જેલ મોકલવાની રણનીતિ બનાવી હતી. હવે એજ આસીમ મુનીર ઇમરાન ખાન પાસે મદદ માગવાની ફરજ પડી છે.
પહેલગામ હુમલા બાદ, ભારત તરફથી મળેલા કડક રાજકીય અને લશ્કરી સંકેતોએ પાકિસ્તાનના આંતરિક રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. સિંધ, કરાચી અને લાહોર જેવા વિસ્તારોમાં સાયરન સિસ્ટમ, બંકર નિર્માણ અને રેડ એલર્ટના કારણે લોકોમાં ભયનો માહોલ છે. પાકિસ્તાન સરકારને ડર છે કે દેશની અંદર બળવો ફાટી શકે છે, ખાસ કરીને તેમણે સિંધમાં PTI સમર્થકો અને આંદોલનથી ડર છે. એટલા માટે આસીમ મુનીર અને શાહબાઝ શરીફે ઇમરાન ખાનને ખુશ કરવાનો માર્ગ પસંદ કર્યો છે, જેથી દેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને શાંત કરી શકાય.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે. સરકારે સિંધુ જળ સંધિ રદ કરી. ત્યારબાદ, પાકિસ્તાની નેતાઓ સતત નિવેદનો આપી રહ્યા છે. તેમને ડર છે કે ભારત ગમે ત્યારે તેમના પર હુમલો કરી શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp