સ્વાતિ માલીવાલે રાહુલ ગાંધી સહીત 'I.N.D.I.A એલાયન્સના તમામ મોટા નેતાઓને પત્ર લખ્યો..! જાણો વિગત

સ્વાતિ માલીવાલે રાહુલ ગાંધી સહીત 'I.N.D.I.A એલાયન્સના તમામ મોટા નેતાઓને પત્ર લખ્યો..! જાણો વિગત

06/18/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

સ્વાતિ માલીવાલે રાહુલ ગાંધી સહીત 'I.N.D.I.A એલાયન્સના તમામ મોટા નેતાઓને પત્ર લખ્યો..! જાણો વિગત

Swati Maliwal Assault Case : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમાર પર મારપીટનો આરોપ લગાવનારા આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ ફરી એક વખત ચર્ચામાં છે. માલીવાલે 'ઈન્ડિયા બલોક'ના તમામ નેતાઓને પત્ર લખ્યો છે.


ઈન્ડિયા બ્લોક'ના તમામ મોટા નેતાઓને પત્ર

ઈન્ડિયા બ્લોક'ના તમામ મોટા નેતાઓને પત્ર

સ્વાતિ માલીવાલે રાહુલ ગાંધી અને શરદ પવાર સહીત 'ઈન્ડિયા બ્લોક'ના તમામ મોટા નેતાઓને પત્ર લખીને કહ્યું કે, મેં 8 વર્ષ સુધી દિલ્હી મહિલા આયોગ (DCW)ની અધ્યક્ષતા કરી છે. આ દરમિયાન મેં મહિલાઓ અને બાળકો સામે 1.7 લાખથી વધુ ફરિયાદો પર સુનાવણી કરી છે. પરંતુ કમનસીબે સાંસદ બન્યા બાદ 13 મે ના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના PAએ મારી સાથે મારપીટ કરી. આ ઘટના બાદ મેં પોલીસમાં ફરિયાદ નોંધાવાનું પગલું ભર્યું. પરંતુ આવી સ્થિતિનાં મારું સમર્થન કરવાના બદલે મારી પોતાની જ પાર્ટીના નેતાઓ અને સ્વયંસેવકોએ મારું ચરિત્ર હનન કરવાનું શરૂ કર્યું.


કોઈનાથી ડર્યા વિના અને ઝૂક્યા વિના- સ્વાતિ માલીવાલે

કોઈનાથી ડર્યા વિના અને ઝૂક્યા વિના- સ્વાતિ માલીવાલે

સ્વાતિ માલીવાલે કહ્યું કે, કોઈનાથી ડર્યા વિના અને કોઈની સામે ઝૂક્યા વિના મેં મહિલા આયોગને એક ખૂબ ઊંચા સ્થાને પહોંચાડ્યું છે. પરંતુ અફસોસની વાત એ છે કે પહેલા મુખ્યમંત્રીના ઘરે મારી સાથે મારપીટ કરવામાં આવી અને પછી મારું ચરિત્ર હરણ કરવામાં આવ્યું. તેમણે આગળ કહ્યું કે, મારી પ્રતિષ્ઠા, ચરિત્ર અને વિશ્વસનીયતાને ધૂમિલ કરવા માટે સોશિયલ મીડિયા પર ખોટી માહિચી ફેલાવવાનું શરૂ કર્યું. મારા વિરુદ્ધ ફેલાવવામાં આવેલા જૂઠને કારણે મને રેપ અને હત્યાની ધમકી મળી રહી છે. હું ઈચ્છું છું કે, આ મામલે ચર્ચા માટે મને તમારી સાથે મુલાકાત કરવાનો સમય આપવામાં આવે. હું તમારા જવાબની રાહ જોઈશે.


વિભવ કુમાર પર શું છે આરોપ?

વિભવ કુમાર પર શું છે આરોપ?

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે CM આવાસમાં તેમની સાથે મારપીટ થઈ હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આ આરોપ કેજરીવાલના PA વિભવ કુમાર પર લગાવ્યો છે. પાર્ટીના નેતા સંજય સિંહે બાદમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્વાતિ માલીવાલ સાથે થયેલી ઘટનાને સંજ્ઞાનમાં લીધી છે અને તેઓ આ મામલે સખત કાર્યવાહી કરશે. સંજય સિંહે જણાવ્યું હતું કે સ્વાતિ માલીવાલ સોમવારે સીએમ કેજરીવાલને મળવા આવી હતી. તે ડ્રોઈંગ રૂમમાં રાહ જોઈ રહ્યો હતો. ત્યારબાદ વિભવ કુમાર ત્યાં પહોંચી ગયો અને સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તન કર્યું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top