Big Breaking News : દિલ્હીના CM કેજરીવાલને ન મળી રાહત'આટલા દિવસ સુધી રહેવું પડશે તિહાડ જેલમાં!

Big Breaking News : દિલ્હીના CM કેજરીવાલને ન મળી રાહત'આટલા દિવસ સુધી રહેવું પડશે તિહાડ જેલમાં! જાણો EDએ બીજો શું આરોપ લગાવ્યો?

04/01/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

Big Breaking News : દિલ્હીના CM કેજરીવાલને ન મળી રાહત'આટલા દિવસ સુધી રહેવું પડશે તિહાડ જેલમાં!

Arvind Kejriwal : દિલ્હી લીકર પોલિસી કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર રાઉઝ એવન્યૂ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. તેમની સામે તેમની પત્ની સુનીતા કેજરીવાલ પણ કોર્ટ પહોંચ્યા હતા. અગાઉ તેમની કસ્ટડી 1 એપ્રિલ સુધી આગળ ધપાવવામાં આવી હતી. સૂત્રો અનુસાર આજે ED તેમની કસ્ટડી વધારવાની માગ નહીં કરે તેવી આશંકા છે. કોર્ટમાં જતી વખતે કેજરીવાલે PM મોદી સામે નિશાન તાકતાં કહ્યું હતું કે પીએમ મોદી જે કરી રહ્યા છે તે ઠીક નથી. આ દેશ માટે સારું નથી.


કેજરીવાલ પર ગેરમાર્ગે દોરવાનો પણ આરોપ

કેજરીવાલ પર ગેરમાર્ગે દોરવાનો પણ આરોપ

કોર્ટમાં સુનાવણી શરૂ થતાં જ EDએ કેજરીવાલની ન્યાયિક કસ્ટડીની માગ કરતાં કહ્યું કે અમારી પૂછપરછ પતી ગઈ છે. કેજરીવાલ અમને તપાસમાં સહયોગ નથી કરી રહ્યા. અમારા સવાલોના ગોળ ગોળ જવાબો આપી રહ્યા છે. તેઓ પોતાનો ફોન પણ નથી આપી રહ્યા. EDએ કેજરીવાલ પર ગેરમાર્ગે દોરવાનો પણ આરોપ મૂક્યો હતો. આ સાથે ઈડીએ કેજરીવાલની 15 દિવસની ન્યાયિક કસ્ટડીની માગ કરી હતી. આ સાથે કેજરીવાલને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો કોર્ટે આદેશ આપ્યો હતો. હવે તેમને તિહાડ જેલમાં મોકલી દેવામાં આવશે.


અગાઉ શું થયું હતું કોર્ટમાં

અગાઉ શું થયું હતું કોર્ટમાં

અગાઉ EDએ તેમની કસ્ટડી વધારવાની માગ કરી હતી. ઇડીએ ફરી એકવાર 7 દિવસ માટે રિમાન્ડની માગ કરી હતી. ઈડીએ દાવો કર્યો હતો કે હજુ કેજરીવાલનો અન્ય આરોપીઓ સાથે આમનો સામનો કરાવવાનું બાકી છે.  સુનાવણી પૂરી થતાં ઈડીની કસ્ટડીની માગ પર કોર્ટે ચુકાદો અનામત રાખી લીધો હતો. થોડીવાર પછી ચુકાદો સંભળાવતા કોર્ટે કેજરીવાલના રિમાન્ડમાં ચાર દિવસનો વધારો કરીને તેમને પહેલી એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા.  


કેજરીવાલે રાજકીય કાવતરું ગણાવ્યું હતું

કેજરીવાલે રાજકીય કાવતરું ગણાવ્યું હતું

આ પહેલાની સુનાવણીમાં રાઉઝ એવન્યૂ કોર્ટમાં હાજર થવા પહોંચેલા મુખ્યમંત્રી કેજરીવાલે પત્રકારો સાથેની વાતચીતમાં આ સમગ્ર મામલાને એક રાજકીય કાવતરું ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું  કે, ‘આ કાવતરું ઘડનારા લોકોને જનતા જ જવાબ આપશે. તપાસ માટે ઈડીના અધિકારીઓનો આભાર. મને કેમ પકડ્યો છે તે મને સમજાતું નથી? બે વર્ષથી આ બધુ ચાલે છે. કોઈ કોર્ટે અત્યાર સુધી મને દોષિત નથી માન્યો. મારી સામે કોઈ આરોપો નથી.’ આ દરમિયાન તેમણે મોટો આરોપ મૂકતાં કહ્યું કે, ‘અમારા વિરોધીઓ આમ આદમી પાર્ટીને તોડીને તેને ખતમ કરવા માગે છે.’ 

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top