'આત્મહત્યા કરવાથી મળશે ફરી જન્મ...."ધર્મગુરુ સહિત ૭ લોકોએ કરી આત્મહત્યા ! જાણો આ વિચિત્ર મામલો

'આત્મહત્યા કરવાથી મળશે ફરી જન્મ...."ધર્મગુરુ સહિત ૭ લોકોએ કરી આત્મહત્યા ! જાણો આ વિચિત્ર મામલો

01/08/2024 World

SidhiKhabar

SidhiKhabar

'આત્મહત્યા કરવાથી મળશે ફરી જન્મ....

ભારતના પડોસી દેશ શ્રીલંકામાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. જેમાં એક ધર્મગુરુ સહીત 7 લોકોએ પુનર્જન્મ મેળવવાની લાલચમાં આત્મહત્યા કરી છે. 2 જાન્યુઆરીના રોજ પોલીસને એક પુરુષ અને એક મહિલાનો યક્કલા અને મહારાગામથી મૃતદેહ મળ્યો હતો. જે બાબતે પોલીસને શંકા હતી કે બંને એ ઝેર પીને આત્મહત્યા કરી છે. વધુ તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે બંને મૃતકોને 47 વર્ષીય બૌદ્ધ ધર્મગુરુ રુવન પ્રસન્ના ગુણારત્ન પર શ્રદ્ધા હતી અને ધર્મગુરુ દ્વારા જ બંનેને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. 


ધર્મગુરુ આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરતા હતા

આ મામલાની વધુ તપાસની જવાબદારી હાલ પોલીસે CIDને સોંપી છે. ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID)ની આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે બૌદ્ધ ધર્મગુરુ રુવન પ્રસન્ના ગુણારત્ન તેમના અનુયાયીઓને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરતા હતા અને કહેતા હતા કે આમ કરવાથી તેઓને ફરી પુનર્જન્મ મળશે.


પુનર્જન્મની લાલસામાં ગુમાવ્યો જીવ

પુનર્જન્મની લાલસામાં ગુમાવ્યો જીવ

શ્રીલંકાના મહારાગામના ઓલ્ડ રોડ પર આવેલા એક ગેસ્ટ હાઉસમાંથી એક 34 વર્ષના પુરુષનો મૃતદેહ મળ્યો હતો. આ વ્યક્તિ થિવલાપુરાના અંબાલાંગોડા વિસ્તારનો રહેવાસી હતો. આ સિવાય એક 21 વર્ષીય મહિલાનો પણ યક્કાલા વિસ્તારના રફાલ વટ્ટામાં આવેલા તેના ઘરેથી મૃતદેહ મળી આવ્યો હતો. આ મહિલા યુનિવર્સિટીની વિદ્યાર્થીની હતી. 


ધર્મગુરુના પરિવારજનોનો પણ આપઘાત

28 ડિસેમ્બરે મહારાગામાના એક ગેસ્ટ હાઉસમાંથી બૌદ્ધ ધર્મગુરુ રુવાન પ્રસન્ના ગુણરત્નેકાનો મૃતદેહ મળ્યો હતો. તેના ત્રણ દિવસ બાદ એટલે કે 31 ડિસેમ્બરે ધર્મગુરુના 35 વર્ષીય પત્ની, બે પુત્રો અને પુત્રી જેની ઉંમર ૯, ૮ અને ૭ વર્ષ હતી તેમના પણ મૃતદેહો મળી આવ્યા હતા. જેમાં પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે તમામ પરિવારજનોએ ઝેર પીને આત્મહત્યા કરી હતી. તેની પાછળનું કારણ પુનર્જન્મની લાલસા હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top