‘કોઈ જરૂરિયાત નથી’, બેંગ્લોર અકસ્માતને લઇને ગૌતમ ગંભીરે RCB પર સાધ્યું નિશાન
Gautam Gambhir on Bengaluru stampede: ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે બુધવારે બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી અફરાતફરીને લઈને RCB પર નિશાન સાધ્યું હતું. RCBએ 17 વર્ષ બાદ તેનું પહેલું IPL ટાઇટલ જીત્યું. સ્ટેડિયમમાં ઉજવણી કરવામાં આવી, પરંતુ પછી બહાર ભીડમાં અફરાતફરી મચી ગઈ. જેમાં 11 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા તો ઘણા લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા. આ ઘટના પર ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરનું નિવેદન સામે આવ્યું છે.
ગંભીરે કહ્યું છે કે તેમના મતે જીત પછી આવા કોઈ પણ રોડ શૉની ક્યારેય જરૂરિયાત હોતી નથી. જ્યારે ભારતીય ટીમે વર્ષ 2007માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો, ત્યારે પણ તેમનું આ જ માનવું હતું. ગંભીરે કહ્યું કે, આવા ઉજવણી કરતા લોકોની જિંદગી વધુ મહત્ત્વપૂર્ણ છે અને તેમનું ધ્યાન રાખવું જરૂરી છે. હું હંમેશાં આ વાત માનતો આવ્યો છું કે આપણને રોડ શૉની જરૂરિયાત નથી. જ્યારે અમે 2007માં વર્લ્ડ કપ જીતીને પાછા ફર્યા હતા, ત્યારે પણ મારું માનવું હતું કે આપણે રોડ શૉ ન કરવો જોઈએ. લોકોની જિંદગીઓ વધુ મહત્ત્વપૂર્ણ છે. હું ભવિષ્યમાં પણ આમ જ વાત કહીશ. ભવિષ્યમાં આપણે આવા રોડ શૉને લઈને વધુ સાવચેત રહેવું પડશે. આપણે બંધ દરવાજાની અંદર આ રોડ શૉ કરવા પડશે. આપણે આવું ન કરવું જોઈતું હતું. ચાહકો ઉત્સાહિત થાય છે, પરંતુ લોકોની જિંદગી કરતા વધુ કંઈ મહત્ત્વનું નથી. તમે કોઈપણ સંજોગોમાં 11 લોકોના જીવ ગુમાવી નહીં શકો. મારા મતે રોડ શૉ થવો જોઈતો નહોતો.’
ગંભીરે ગત સીઝનમાં પોતાના કોચિંગ હેઠળ કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR)ને ટાઇટલ અપાવ્યું હતું. જોકે, ત્યારબાદ કોઈ રોડ શો કાઢવામાં આવ્યો નહતો. ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ પણ ભારતીય ટીમના રોડ શોની ચર્ચા થઈ હતી, પરંતુ તે ન થયો. ગંભીરની કેપ્ટનશીપ હેઠળ, કોલકાતાએ વર્ષ 2012 અને વર્ષ 2014માં પણ ટાઇટલ જીત્યું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp