‘રાહુલ ગાંધીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા 12 બાળકો પેદા કરવાની જરૂરિયાત નથી..’, મુસ્લિમ વસ્તી પર CMનો મોટો દાવો
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાજ્યમાં મુસ્લિમોની ઝડપથી વધી રહેલી વસ્તી પર ચિંતા વ્યક્ત કરતા કરી અને કહ્યું કે જો સ્થિતિ આવી જ રહી તો અહીં મુસ્લિમ બહુમતી અને હિંદુઓ લઘુમતી થઇ જશે. આ અવસર પર તેમણે કોંગ્રેસને પણ ન છોડી. દેશની સૌથી જૂની પાર્ટી પર પ્રહાર કરતા સરમાએ કહ્યું કે, વસ્તી વૃદ્ધિને નિયંત્રિત કરવામાં સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા દેશની સૌથી જૂની પાર્ટી ભજવી શકે છે કેમ કે મુસ્લિમ સમુદાય તેમની વાત સાંભળે છે.
તેમણે કહ્યું, જો રાહુલ ગાંધી (વિપક્ષી નેતા) વસ્તી નિયંત્રણના બ્રાન્ડ એમ્બેસેડર બને છે તો તે ખૂબ જ ઝડપથી કામ કરશે. બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટે તમારે લગ્ન કરવાની અને 12 બાળકો પેદા કરવાની જરૂરિયાત નથી. તમે બે નામો હિમંતા બિસ્વા સરમા કે રાહુલ ગાંધી સાથે આજે એક મુસ્લિમ ગામમાં જાવ, દરેક કહેશે કે તેઓ એજ સાંભળશે જે રાહુલ ગાંધી જે કહે છે. જો તમે તેમને વોટ માનો છો અને રાજનીતિક નેતાઓના પોતાના 2 બાળકો, પરંતુ તેઓ ક્યારેય ગ્રામજનોને બાળકોની સંખ્યા 2 સુધી મર્યાદિત રાખવાની સલાહ આપતા નથી. તેમણે એમ પણ કહ્યું કે જો અગાઉના મુખ્યમંત્રીઓ ધર્મનિરપેક્ષ ન હોત અને તેમણે 1971 કે 1981થી વસ્તી વિસ્ફોટ બાબતે તેમની જેમ વાત કરી હોત, તો રાજ્યને સકારાત્મક પરિણામો મળતા.
2011ની વસ્તી ગણતરીનું વિવરણ આપતા સરમાએ કહ્યું, 2011માં આસામમાં 1.4 કરોડ મુસ્લિમો હતા. આગામી સમયમાં તે મુસ્લિમ બહુધા વસ્તી ધરાવતું રાજ્ય બની જશે. આ એક વાસ્તવિકતા છે અને તેને કોઈ રોકી શકે નહીં. 2011ની વસ્તી ગણતરી મુજબ, આસામમાં કુલ મુસ્લિમ વસ્તી 1.07 કરોડ હતી, જે કુલ 3.12 કરોડ રહેવાસીઓના 34.22 ટકા હતી. એ સમયે રાજ્યમાં 1.92 કરોડ હિંદુઓ હતા, જે કુલ વસ્તીના લગભગ 61.47 ટકા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp