કેજરીવાલે વડાપ્રધાન મોદી પર કર્યો જોરદાર પ્રહાર, ગૃહમાં બોલ્યા- જેમના પર કૌભાંડનો આરોપ લગાવે છે

કેજરીવાલે વડાપ્રધાન મોદી પર કર્યો જોરદાર પ્રહાર, ગૃહમાં બોલ્યા- જેમના પર કૌભાંડનો આરોપ લગાવે છે, તેમને...

09/28/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

કેજરીવાલે વડાપ્રધાન મોદી પર કર્યો જોરદાર પ્રહાર, ગૃહમાં બોલ્યા- જેમના પર કૌભાંડનો આરોપ લગાવે છે

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે (27 સપ્ટેમ્બર) દિલ્હી વિધાનસભાને સંબોધિત કરી હતી. તેમણે તપાસ એજન્સીઓના દુરુપયોગનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સવાલ કર્યો કે શું ભાજપને શરમ આવે છે. અજીત પવારનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન જેમના પર કૌભાંડનો આરોપ લગાવે છે, તેમને રાજ્યના નાયબ મુખ્યમંત્રી બનાવી દે છે.

તેમણે કહ્યું કે આવા 25 'રત્નો' પીએમ નરેન્દ્ર મોદીના રત્ન છે. મેં ચાર-પાંચ દિવસ અગાઉ મોહન ભાગવતને પત્ર લખ્યો હતો. તે પત્રમાં મેં તેમની સાથે પાંચ મુદ્દાઓ પર વાત કરી હતી. તેમાં એક મુદ્દો એ પણ હતો કે વડાપ્રધાન મોદી જે રીતે આ દેશના સૌથી ભ્રષ્ટ નેતાઓને ED અને CBIથી ડરાવીને અથવા પૈસાની લાલચ આપીને બીજી પાર્ટીમાંથી તોડી તોડીને પોતાની પાર્ટીમાં સામેલ કરી રહ્યા છે, શું તેઓ (મોહન ભાગવત) તેમની સાથે સહમત થશે?


કેજરીવાલે વડાપ્રધાન પર જોરદાર પ્રહાર

કેજરીવાલે વડાપ્રધાન પર જોરદાર પ્રહાર

કેજરીવાલે વધુમાં કહ્યું કે, "27 જૂન, 2023ના રોજ વડાપ્રધાને કહ્યું હતું કે અજીત પવાર પર 70 હજાર કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ છે. અમે તેમને જેલમાં મોકલીશું. 5 દિવસ બાદ, 2 જુલાઇએ તેમને પોતાની સરકારમાં સામેલ કરાવ્યા અને તેમને નાયબ મુખ્યમંત્રી બનાવી દીધા. હું તેમને પૂછવા માંગુ છું કે થોડી શરમ આવે છે? શું મોઢું બતાવો છો તમે તમારી શેરીમાં અને તમારા ઘરે જાઓ છો ત્યારે?  પૂર્વ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, 22 જુલાઇ 2015ના રોજ ભાજપ કહે છે કે હિમંતા બિસ્વા સરમા ખૂબ મોટા ભ્રષ્ટાચારી છે. એક મહિના બાદ 23 ઓગસ્ટ 2015ના રોજ, તેમને પોતાની પાર્ટીમાં સામેલ કરી લે છે.


.. આ તેમની પ્રામાણિકતા છે?

.. આ તેમની પ્રામાણિકતા છે?

આ સાથે કેજરીવાલે કહ્યું કે, "NCP નેતા પ્રફુલ પટેલ વિરુદ્ધ CBI અને EDનો કેસ હતો, પીએમ મોદીએ તેમને બંધ કરાવી દીધો. પ્રતાપ સરનાઇક સામે EDનો કેસ હતો, એક EOW કેસ હતો, બંનેને બંધ કરવી દેવામાં આવ્યા. હસન મુશ્રીફ સામે EDનો કેસ હતો, પરંતુ તેને અટકાવી દેવામાં આવ્યો. ભાવના ગવાલી સામે EDનો કેસ હતો. યશવંત જાધવ સામે EDનો કેસ હતો. મુખ્યમંત્રી રમેશ, રવિન્દર સિંહ, સંજય સેઠ, સુવેન્દુ અધિકારી, કે. ગીતા, છગન ભુજબલ, કૃપા શંકર સિંહ, દિગંબર કામત, અશોક ચવ્હાણ, નવીન જિંદલ, તપસ રે, અર્ચના પાટીલ, ગીતા કોડા, બાબા સીદ્દિકી, જ્યોતિ મિંડા, સુઝાના ચૌધર. .આ તેમની પ્રામાણિકતા છે. શરમ નથી આવતી લાલ કિલ્લા પરથી ઉભા રહીને દેશને મૂર્ખ બનાવો છો."


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top