NDAના વધુ એક નેતાને જીવથી મારી નાખવાની ધમકી મળતા મચ્યો હાહાકાર, પોલીસ તપાસમાં લાગી

NDAના વધુ એક નેતાને જીવથી મારી નાખવાની ધમકી મળતા મચ્યો હાહાકાર, પોલીસ તપાસમાં લાગી

02/20/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

NDAના વધુ એક નેતાને જીવથી મારી નાખવાની ધમકી મળતા મચ્યો હાહાકાર, પોલીસ તપાસમાં લાગી

Ekanath Shinde: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને જીવથી મારી નાખવાની ધમકીનો મામલો સામે આવ્યો છે. ગોરેગાંવ પોલીસને એક અજાણ્યા વ્યક્તિ તરફથી ઈ-મેલ મળ્યો છે. જેમાં એકનાથ શિંદેની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આવો જ ધમકીભર્યો મેલ મંત્રાલય અને જેજે માર્ગ પોલીસ સ્ટેશનમાં પણ મળ્યો છે, જેણે ધમકીભર્યો ઈમેલ મોકલ્યો હતો.


ડેપ્યુટી CM એકનાથ શિંદે દિલ્હીના પ્રવાસે

ડેપ્યુટી CM એકનાથ શિંદે દિલ્હીના પ્રવાસે

હાલમાં એકનાથ શિંદે દિલ્હીના પ્રવાસે છે. રામલીલા મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપ્યા બાદ તેઓ NDA નેતાઓ સાથે બેઠક માટે રવાના થયા હતા. રેખા ગુપ્તાએ આજે દિલ્હીમાં નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.


થોડા દિવસ અગાઉ PMના પ્લેન પર આતંકી હુમલાની ધમકી મળી હતી

થોડા દિવસ અગાઉ PMના પ્લેન પર આતંકી હુમલાની ધમકી મળી હતી

થોડા દિવસ અગાઉ મુંબઈમાં એક વ્યક્તિએ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ દરમિયાન આતંકવાદીઓ તેમના પ્લેન પર હુમલો કરી શકે છે. પોલીસે અન્ય એજન્સીઓને જાણ કરીને તપાસ શરૂ કરી હતી. જ્યારે આ ફોન આવ્યો ત્યારે વડાપ્રધાન મોદી ફ્રાન્સનો પ્રવાસ પૂરો કરીને અમેરિકા જવાના હતા.

ફોન કરનારે દાવો કર્યો હતો કે વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસ દરમિયાન આતંકવાદીઓ તેમના વિમાન પર હુમલો કરી શકે છે. કંટ્રોલ રૂમને ધમકીઓ અંગે એક જ નંબર પરથી અનેક અલગ-અલગ કોલ મળ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે કોલ કરનાર વ્યક્તિ માનસિક રીતે અસ્થિર હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top