‘હું જ્યારે ઉઠ્યો તો..’ એર ઈન્ડિયા પ્લેન ક્રેશમાં જીવતા બચેલા શખ્સે સંભળાવી અકસ્માતની ભયાનક કહાની
અમદાવાદના એર ઇન્ડિયા ક્રેશમાં જીવતા બચી ગયેલા મુસાફરોના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું હતું કે, ‘પોલીસને સીટ 11A પર એક જીવતો વ્યક્તિ મળ્યો. વ્યક્તિ હોસ્પિટલમાં મળી આવ્યો છે અને તેની સારવાર ચાલી રહી છે. મૃત્યુની સંખ્યા વિશે કંઇ કહી શકાય નહીં. નિવાસી વિસ્તારમાં વિમાન ક્રેશ થતા મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં વધારો થઈ શકે છે.’
હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ, જીવતા બચેલા 40 વર્ષીય વિશ્વના કુમાર રમેશે આ ઘટનાને જણાવ્યું હતું કે, ‘ઉડાણ ભર્યાની 30 સેકન્ડ બાદ, જોરથી અવાજ આવ્યો અને ત્યારબાદ વિમાન ક્રેશ થયું. આ બધું ખૂબ જ ઝડપથી થયું. જ્યારે હું ઉઠ્યો તો શબ મારી આસપાસ વિખેરાયેલા હતા. હું ડરી ગયો હતો અને ત્યાથી ભાગ્યો હતો. વિમાનના મારી ચારેય તરફ વિમાનના ટુકડાઓ પડેલા હતા. કોઈએ મને પકડી લીધો અને એમ્બ્યુલન્સમાં નાખીને મને હોસ્પિટલમાં લઈ ગયા.’
બ્રિટિશ નાગરિક વિશ્વશ થોડા દિવસો માટે પોતાના પરિવારને મળવા ભારત આવ્યો હતો અને તેના ભાઈ અજય કુમાર રમેશ () 45) સાથે બ્રિટન પાછો જઇ રહ્યો હતો. વિશ્વશે કહ્યું કે તે 20 વર્ષથી લંડનમાં રહે છે. તેની પત્ની અને બાળકો પણ લંડનમાં રહે છે. બ્રિટનના મહારાજા ચાર્લ્સ ત્રીજાએ કહ્યું કે તે અને ક્વીન કેમિલા અમદાવાદની ભયંકર ઘટનાથી સ્તબ્ધ છે.
વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો (AAIB) અમદાવાદ વિમાન અકસ્માતની તપાસ કરશે. ન્યૂઝ એજન્સી PTIના અહેવાલ મુજબ, અધિકારીએ જણાવ્યું હતું કે AAIBના ડાયરેક્ટર જનરલ અને એજન્સીમાં તપાસ નિયામક સહિત અન્ય લોકો અમદાવાદ માટે રવાના થશે. બોઇંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘અમે પ્રાથમિક અહેવાલોથી વાકેફ છીએ અને અમે વધુ માહિતી એકત્રિત કરવા માટે કામ કરી રહ્યા છીએ.’ ગુજરાત સરકારે મૃતદેહોને ઓળખવા માટે DNA સેમ્પલ આપવાની અપીલ કરી છે. અકસ્માત એટલો ભયંકર હતો કે ઘણા શબોને ઓળખવા મુશ્કેલ બન્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp