ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં હવે ડ્રોન એટેક? જબરદસ્ત ધમાકાઓથી કાપી ઉઠ્યા આ શહેરો

ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં હવે ડ્રોન એટેક? જબરદસ્ત ધમાકાઓથી કાપી ઉઠ્યા આ શહેરો

05/08/2025 World

SidhiKhabar

SidhiKhabar

ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં હવે ડ્રોન એટેક? જબરદસ્ત ધમાકાઓથી કાપી ઉઠ્યા આ શહેરો

પાકિસ્તાનમાં ફરી અફરાતફરી મચી ગઈ છે. ઓપરેશન સિંદૂર બાદ, પાકિસ્તાનના લાહોર, રાવલપિંંડી અને કરાંચીમાં ધમાકા થયા છે. પાકિસ્તાની મીડિયાનો દાવો છે કે લાહોરમાં ડ્રોન હુમલા થયા છે. લાહોર એરપોર્ટ નજીક થયેલા વિસ્ફોટોનો પડઘો ઘણા કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. ત્યારબાદ, સાયરનના અવાજો પણ સંભળાયા. પોતે પોલીસ અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે. વિસ્ફોટો બાદ લોકો આમ-તેમ દોડવા લાગ્યા. આકાશમાં ધુમાડાનું ગોટે-ગોટા ઉડતા દેખાયા.

સમાચાર એજન્સી રોઇટર્સના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાની અધિકારીઓનું કહેવું છે કે તેઓ વિસ્ફોટોની જગ્યા અને કારણની તપાસ કરી રહ્યા છે. લાહોરના ગોપાલ નગર અને નસીરાબાદ વિસ્તારોમાં વોલ્ટન એરપોર્ટ નજીક વોલ્ટન રોડ પર કેટલાક વિસ્ફોટો સંભળાયા. લોકો ગભરાઈને પોતાના ઘરથી બહાર નીકળી આવ્યા. લોકોએ ધુમાડાના ગોટેગોટા ઉડતા જોયા હોવાની જાણ કરી છે.


ડ્રોન હુમલો ક્યાં થયો?

ડ્રોન હુમલો ક્યાં થયો?

તો, જો સૂત્રોનું માનીએ તો, વોલ્ટન એરપોર્ટ બાદ ડ્રોન હુમલો થયો છે. વિસ્ફોટો બાદ લાહોર એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એક પ્રકારનો ડ્રોન હુમલો છે. આ વિસ્ફોટ વોલ્ટન એરપોર્ટ નજીક પાકિસ્તાની આર્મી યુનિટ પર થયો છે. જો સૂત્રોનું માનીએ તો, કરાચી એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી પણ હાલ માટે બંધ કરી દેવામાં આવી છે.

લાહોરમાં આ વિસ્ફોટ એવા સમયે જોવા મળ્યા છે જ્યારે એક દિવસ અગાઉ જ ભારતે પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું. હાલમાં, લાહોરમાં આ વિસ્ફોટ કોણે કર્યા તે બહાર આવ્યું નથી. ભારતે 7 મેની મધ્યરાત્રિએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને PoKમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. આ હુમલામાં 70થી વધુ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હતા.


પાકિસ્તાનમાં રેડ એલર્ટ

પાકિસ્તાનમાં રેડ એલર્ટ

જોકે, ભારત સાથેના તણાવને ધ્યાનમાં રાખીને, પાકિસ્તાનમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમામ સરકારી હોસ્પિટલોને તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે. દેશની હવાઈ સરહદો 24-36 કલાક માટે બંધ કરવામાં આવી છે. ઇસ્લામાબાદ અને પંજાબમાં બધી શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે અને સુરક્ષા દળોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ દરમિયાન, ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ અંગે, પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું છે કે આ તણાવ ત્યારે જ સમાપ્ત થઈ શકે છે જો ભારત તેના આક્રમક વલણથી પાછળ હટે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top