‘ગુજરાતની આ ભૂમિ બે મોહનની ધરતી છે, તેમના માર્ગ પર ચાલીને ભારત સતત મજબૂત બની રહ્યું છે’: PM નર

‘ગુજરાતની આ ભૂમિ બે મોહનની ધરતી છે, તેમના માર્ગ પર ચાલીને ભારત સતત મજબૂત બની રહ્યું છે’: PM નરેન્દ્ર મોદી

08/26/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

‘ગુજરાતની આ ભૂમિ બે મોહનની ધરતી છે, તેમના માર્ગ પર ચાલીને ભારત સતત મજબૂત બની રહ્યું છે’:  PM નર

સોમવારે અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ભવ્ય રોડ શો યોજ્યો હતો, જે દરમિયાન રસ્તામાં ભારે ભીડ એકઠી થઈ હતી. ત્યારબાદ, વડાપ્રધાને કુલ 5,400 કરોડ રૂપિયાના ખર્ચે અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. આ કાર્યક્રમ અમદાવાદના ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહ્યો છે.

જનતાને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘આ ચોમાસાની ઋતુમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દેશમાં જે રીતે એક બાદ એક વાદળ ફાટવાની ઘટનાઓ બની રહી છે, જ્યારે આપણે ટીવી પર તબાહી જોઈએ છીએ, ત્યારે પોતાને નિયંત્રિત કરવું મુશ્કેલ બની જાય છે. હું તમામ અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.’ કુદરતનો આ પ્રકોપ સમગ્ર માનવજાત અને દેશ માટે એક પડકાર છે. કેન્દ્ર સરકાર તમામ રાજ્ય સરકારો સાથે મળીને રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલી છે.


'ગુજરાત બે મોહનની ભૂમિ...'

'ગુજરાત બે મોહનની ભૂમિ...'

નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘ગુજરાતની આ ભૂમિ બે મોહનની ધરતી છે. એક છે સુદર્શન ચક્રધારી મોહન એટલે કે આપણા શ્રી કૃષ્ણ, બીજા છે ચરખાધારી મોહન એટલે કે સાબરમતીના સંત પૂજ્ય બાપુ. આ બે દ્વારા બતાવેલા માર્ગ પર ચાલીને ભારત સતત મજબૂત બની રહ્યું છે. સુદર્શન ચક્રધારી મોહને આપણને દેશ અને સમાજનું રક્ષણ કેવી રીતે કરવું તે શીખવ્યું છે. તેમણે સુદર્શન ચક્રને ન્યાય અને સુરક્ષાની ઢાળ બનાવ્યું છે, જે દુશ્મનને પાતાળમાં પણ શોધીને તેને સજા આપે છે. અને આજે દેશ ભારતના નિર્ણયોમાં આ લાગણી અનુભવી રહ્યો છે, દુનિયા પણ તેનો અનુભવ કરી રહી છે.’

તાજેતરમાં સેના દ્વારા હાથ ધરવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર' તરફ ઈશારો કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘આજે આપણે આતંકવાદીઓ અને તેમના આકાઓને છોડતા નથી, ભલે તેઓ ગમે ત્યાં છુપાયેલા હોય. દુનિયાએ જોયું છે કે ભારતે પહેલગામનો બદલો કેવી રીતે લીધો. ઓપરેશન સિંદૂર આપણી સેનાની બહાદુરીનું પ્રતીક બની ગયું.’

તેમણે વધુમાં કહ્યું કે, આપણા પૂજ્ય બાપુ, ચરખાધારી મોહને ભારતની સમૃદ્ધિનો માર્ગ  સ્વદેશીમાં બતાવ્યો હતો. બાપુનો આશ્રમ એ વાતનો સાક્ષી છે કે જે પક્ષે દાયકાઓ સુધી તેમના નામે સત્તા ભોગવી હતી, તેણે બાપુના આત્માને કચડી નાખ્યો અને બાપુના સ્વદેશીના મંત્ર સાથે શું કર્યું. 60-65 વર્ષ સુધી દેશ પર શાસન કરનારી કોંગ્રેસે ભારતને અન્ય દેશો પર નિર્ભર રાખ્યું, જેથી તેઓ સરકારમાં બેસીને આયાતમાં કૌભાંડો કરી શકે. પરંતુ આજે ભારતે આત્મનિર્ભરતાને વિકસિત ભારત બનાવવાનો આધાર બનાવ્યો છે. ખેડૂતો, માછીમારો, ઉદ્યોગસાહસિકોના બળ પર, ભારત ઝડપથી વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે. તે આત્મનિર્ભરતાના માર્ગ પર આગળ વધી રહ્યું છે.


ગુજરાતમાં મોટાભાગે કર્ફ્યૂ

ગુજરાતમાં મોટાભાગે કર્ફ્યૂ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘આજે આપણે દુનિયામાં આર્થિક સ્વાર્થવાળી નીતિઓ જોઈ રહ્યા છીએ. હું લઘુ ઉદ્યમીઓ અને ખેડૂતોને કહીશ કે હું તમને વચન આપું છુ કે, મોદી માટે તમારા હિત સૌથી ઉપર છે. મારી સરકાર લઘુ ઉદ્યમીઓ અને ખેડૂતો, પશુપાલકોને ક્યારેય દુઃખી નહીં થવા દે. દબાવ ભલે ગમે તેટલો આવે, અમે ઝીલવાની પોતાની તાકાત વધારતા જઈશું. આજે આત્મનિર્ભર ભારત અભિયાન ગુજરાતથી ખૂબ ઉર્જા મળી રહી છે.

આજની યુવા પેઢીએ એ દિવસ નથી જોયા, જ્યાં અહી મોટા ભાગે કર્ફ્યૂ લાગેલું રહેતું હતું. અહી વેપાર અને બિઝનેસ કરવો મુશ્કેલ કરી દેવામાં આવતો હતો, પરંતુ આજે અમદાવાદ દેશના સૌથી સુરક્ષિત શહેરોમાંથી એક છે અને આ તમે બધાએ કરીને બતાવ્યું છે. ગુજરાતમાં શાંતિ અને સુરક્ષાના વાતાવરણના સુખદ પરિણામ આપણે ચારેય તરફ જોઈ રહ્યા છીએ. આખું ગુજરાત આ જોઈને ગર્વ કરે છે કે કેવી રીતે આપણો પ્રાંત મેન્યૂફેક્ચરિંગ હબ બની ગયો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top